SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન કરાર શાસ્ત્રકારે લીધે. દરેક માસે તે હાથી જોજન પ્રમાણ એટલે ચાર ગાઉ જેટલું માંડલું કરે, તેટલી ભૂમિમાં ઝાંખરા ઝાડ, ઘાસ દાદ્ય પદાર્થ વગેરે જે હોય તે ઉખેડીને દુર ફેંકી દે છે, એમ તે જગ્યા સાફ કરે છે. જંગલમાં ઝાડબડ શો પાર ? અર્થાત્ ગામમાં તે વસ્તી હોવાથી પ્રમાણસર જ ઝાડ હોય, પણ જંગલમાં વસ્તીની અવરજવર નથી, તેથી ત્યાં ઠેર ઠેર ઝાડબીડ જોવામાં આવે છે. દરેક ચોમાસે ત્રણ વખત ભૂમિ સાફ કરે છે. તેમાં હાથીનું ઉખેડવું થાય છે, માણસ ઉખેડે તે વિવેકથી ઉખેડે, તેમાં પાપનો પાર નહિ. તમારા આંગણે ઘાસ ઉગ્યું હોય તે તેડતાં ત્રાસ છૂટે તે જંગલમાં એક જન ત્રણ ત્રણ વખત સાફ કરે તેમાં તે પાપનો પાર નથી. તેમાં પણ પાંચ સાત હાથીને માલિક, અબ્રહ્મ, હિંસા ને ને પરિગ્રહનો પાર નથી. આવી સ્થિતિમાં રહેલે હાથો એક ચીજ પામ્યું. તે વખતે કે કારણે દાવાનળ જંગલમાં સળગે. દાવાનળથી બચવા સઘળા જાનવરો આ જોજન પ્રમાણ માંડલામાં આવેલા છે. ઘણા જાનવરો આવવાથી સંકડામણ થઈ ગઈ, તેથી એક સસલે સંકડામણમાંથી નીકળી હાથીન પગની નીચે આવીને રહ્યો. તેને બચાવવો જોઈએ, એવો વિચાર હાથીને આવ્ય, કે પગ જે ઊંચે કરેલો છે તે મૂકી દઉં તે સસલા દબાઈ મરી જાય પણ આ વાત સાંભળેલી છે, હવે વગર સાંભળેલી વાત ધ્યાનમાં રાખો. તે કઈ? તે કે તે હાથીએ આવી જ રીતે અઢી દિવસ સુધી પગ અદ્ધર જ રાખે, કારણ ત્યાં સુધી દાવાનળ સળગતે જ રહ્યો. જ્યારે દાવાનળ બંધ થયે ને બધાં જાનવરે ચાલ્યાં ગયાં, . ત્યારે હાથીએ પોતાના પગ નીચે મૂક્ય. - વિચાર કરે કે એક હાથી તિર્યંચના ભવમાં એક સસલાના જીવન બચાવની ખાતર અઢી દિવસ પગ અદ્ધર રાખે છે, તે કઈ દયા માટે ? ઉપર કેવી દયા વસેલી હશે ? હાથીને પગ અદ્ધર ખે એ કાંઈ નાની સૂની વાત નથી, આપણને પગ અદ્ધર રાખતાં પાણી ઉતરે છે. અઢી દિવસ સુધી હાથીએ પગ અદ્ધર રાખે. જ્યારે બધાં પ્રાણી ચાલ્યાં ગયાં, ત્યારે સસલે પણ ચાલ્યો ગયે. .
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy