SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન થવાનું છે, એટલા પૂરતું વચન; છતાં ગૌતમને મોકલી ભગવાન આલેચનાદિક કરાવે છે. આ સ્થિતિને વિચાર કરીએ તે આચાર્યની ખલેચીમાં બીજુ ભરેલું જ નથી. શ્રાવકની ધર્મપૌષધની આવી ખલેચી હોય તે મહાવ્રતધારી, ગરછાધીશ તેમની ખલેચીમાં બીજું હેય જ કેમ? તે ન હોવાથી ધનાજીને ચાર પ્રકારને ધર્મ કહ્યો. એલંભે દેવાનું સ્વપ્ન પણ ન હતું. એ બાજુએ ધર્મઘોષસૂરિજીનું ચિત્ત જ નથી. એક જ લક્ષ્ય કે કઈ પણ જીવને ઉપકાર કેમ થાય? ઘેડાગાડી ખાડામાં નાખે તે ગાડા વહેવાર કોણ કરે? શ્રી ધર્મઘોષસૂરિજી સરખા શ્રુતકેવલીના સમોવડીયા જ્યારે ઉપકારનું ગાડું ખસેડે તે ઉપકારનું ગાડું વહે કયાં ? જગતની ક્રિયાનાં ફળે ને કળમર્યાદા, દરેક જીવે કંઈ પણ ક્રિયા કરે તે ફળ મેળવવા કરે છે. ખાય તો ભૂખ ભાંગવા માટે? પીએ તે તરસ સમાવવા. જેમાં કેટલાંક ફળ વિજળીના ચમકારા જેવાં, ઘાસના ભડકા જેવા, કેટલાક દીવા જેવા, કેટલાક મણિ જેવાં હોય છે, તેમ આ જગતમાં ફળની ઈચ્છા કરે તે ફળ પણ વિજળીને ચમકારા જેવાં હોય છે. જમ્યા તે વિષ્ટા એ. જમવાનું ફળ થયું. પણ ગળેથી ઉતર્યા પછી મળ, રોટલા રોટલીના જ મળ થાય તેમ નહિ, દૂધપાકને પણ મળ જ થાય છે. જે જે વસ્તુ આપણા શરીરમાં નાખીએ છીએ, તેના સાત ભાગ પડી જાય છે. માંસ-મેદ-અસ્થિ-માજા–શુક્ર ને વીર્ય રૂપે પરિણમે છે. સાત્વિક પદાર્થોનું વીર્ય બને છે. બીજા પદાર્થોમાંથી ચરબી, મેદ, શેણિત લેહી) આદિ થાય છે, ને નકામે બગાડ હેય તે પચી ઝાડા-પેશાબ રૂપે બહાર નીકળી જાય છે. - જરાગ્નિ એ શરીરનું એંજિન-બેયલર છે. જેમ એંજિનમાં કેલસા જોઈએ જ, તે વિના ચાલી શકે નહિ. કે કામ આપે નહિં, તેમ આ જઠરાગ્નિને પણ ખોરાકપાણી જોઈએ જ; તેના વિના શરીર કી શકે જ નહિ. ને શરીર વિના ધર્મ સાધન થાય નહિં. મહાપુરુષે જે શરીરને ટકાવતા નથી. તેના ઉપર નિર્ભ સર્વ ભાન જ રાખે છે,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy