SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી દેશના આત્માને જ્યાં સુધી કૈવલ્ય પ્રગટ ન થાય ત્યાં સુધી મળેલું જ્ઞાન એ ચક્રવર્તીની ઋદ્ધિની આગળ એક બદામના હિસાબ કરતાં પણ ઓછું છે એવું સમજાવનાર પણ જ્ઞાન જ છે. શુદ્ધ અને અશુદ્ધ દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ સમજાવી રાગી દ્વષી દેવેને સારંભ, સપરિગ્રહી ગુરુને અને આત્માને દુર્ગતિથી, આરંભ-પરિગ્રહમય હવાને લીધે નહિ બચાવનાર એવા ધર્મને ત્યાગ કરાવી સર્વજ્ઞ વીતરાગ એવા દેવ, નિરારંભ, નિષ્પરિગ્રહ ગુરુ અને દુર્ગતિથી બચાવી મેક્ષ સુધીની સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર જે કઈ હોય તે તે જ્ઞાન જ. ત્રિલેકનાથ તીર્થકર અનેક ભમાં ઉત્તમ વાસનાએ વાસિત થએલા છતાં તીર્થકરનામત્ર પાછલા ત્રીજા ભવે જે બાંધે છે તેમાં પ્રયજન ભવ્યોને દેવાલાયક હોય છે તે જ્ઞાન. શાસન સામ્રાજ્યમાં શ્રુતજ્ઞાનનું અદ્વિતીય સ્થાન સર્વજ્ઞ કેવલી મહારાજ કરતાં પણ છદ્મસ્થ એવા ગણધર મહારાજાને જે અગ્રપદ મળે છે તેનું કારણ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ. પાંચ જ્ઞાનેમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાવાળું કોઈ પણ જે જ્ઞાન હોય તે તે માત્ર કૃતજ્ઞાન જ છે. કેવળજ્ઞાન કરતાં પણ કઈ મહર્ધિપદને પામી શકવાને લાયક હેય તે માત્ર કૃતજ્ઞાન જ છે. બીજાના ઉપદેશથી જે કઈપણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હોય તે તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. તીર્થંકર મહારાજા અને ઈંદ્રાદિ દેવ પણ જે કેઈની ઉપર સુગંધી ચૂર્ણની મુષ્ટિ નાખતા હોય તે તે પ્રભાવ માત્ર શ્રુતજ્ઞાનને જ છે. લિખિત આરામની આરાધના જે કે ભગવાન દેવગિણિક્ષમાશ્રમણજીએ પુરાવા તરીકે લખાએલાં પુસ્તકને જ ગણવા માટે સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા ત્યારથી થએલી હોય, પણ શબ્દદ્વારા થતા વચ્ચપદાર્થોના રૂાનરૂપી શ્રુતજ્ઞાન તે સર્વદા આરાધ્ય જ છે. પ્રતિદિન કરાતા આવશ્યકમાં જે કોઈપણ જ્ઞાનની વૃદ્ધિ શ્રુતસ્તવદ્વારા કરાતી હોય તે તે માત્ર શ્રુતજ્ઞાન જ છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy