SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી દેશના ૫૫ મહું મોટા પ્રથમÉણદિા (૩uro go ૨૮) આનંદને અવધિજ્ઞાન થયું હોવાની સત્યતાને પિતાની અનુમતિથી જાહેર કરી હતી, ત્યારે જ ગૌતમસ્વામી પણ આનંદને અવધિજ્ઞાન આટલું થયું છે એ સત્ય જાણી શક્યા હતા. સર્વા કે, હે ઈ શકે ? ભગવાન શ્રીૌતમસ્વામી જનશાસનના એક ઝળકતા જવાહિર સમા છે, રત્ન છે, સંપૂર્ણ શ્રુતકેવળી છે, છતાં આનંદને થએલા અવધિજ્ઞાનને આ મહાત્મા પણ પારખી શક્યા ન હતા. જ્ઞાન એ કઈ દશ્ય થાય એવી વસ્તુ નથી, તે અરૂણ ચીજ છે. (સત યાનમH चिद्रां सदैवेन्दियगोचरातीतत्वादिधम्मपितम्, अनु० पृ० ७५) આવી ચીજને નિહાળવામાં ગૌતમસ્વામી જેવા પણ અધિકારી છે, અરૂપી જ્ઞાનને સ્વભાવથી દેખવાની શક્તિ તે માત્ર ત્રણ જગતના નાથ એવા એકલા કેવળી, તીર્થકર ભગવાનમાં જ રહેલી છે. એ મહાન શક્તિ કેવળી સિવાય અન્યત્ર કેઈપણ સ્થળે રહેલી નથી. ભગવાન શ્રીગૌતમસ્વામીજી જ્યારે દીક્ષિત થયા ન હતા, ત્યારે તેઓ જૈનધર્મના મહાન ઠેષી હતા. (ાકળ શરમાળ મદિ સેવેતિ जिणवरिंदस्स । अह एइ अहम्माणी अमरिसिओ इंदभूइत्ति ॥५९८।। સાવ નિ) જૈન તત્વજ્ઞાનને ઉખેડી નાંખવાને દ્વેષ તેમણે ધારણ કરેલ હતું, અને એ જ કાર્યમાં મથ્યા રહીને તેઓ પોતાને વ્યવસાય ચલાવે જતા હતા, છતાં એ સમયે આ પરમ મિથ્યાત્વીના અંતરમાં પણ એટલી વાત તે માન્ય થએલી જ હતી કે આત્માના જ્ઞાનને. અને અજ્ઞાનને જે સ્વભાવથી જ કોઈ જાણી શકતું હોય તે તે માત્ર એક સર્વજ્ઞ જ જાણી શકે છે. | સર્વજ્ઞ સિવાય અન્ય કોઈપણ મનુષ્ય જ્ઞાનને દેખી શકતું નથી એ વાત ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીને પણ માન્ય હતી કે જે સમયે બીજા મિથ્યાત્વીઓની માફક જ ભગવાન શ્રીગૌતમસ્વામી પણ એક મિથ્યાત્વી જ હતા. બીજાના આત્મામાં રહેલું જ્ઞાન કિંવા અજ્ઞાન સર્વજ્ઞ સિવાય બીજા કેઈ જાણી શક્તા નથી, એમ આપણે માનીએ છીએ તે જ પ્રમાણે મિથ્યાત્વીઓની પણ એવી જ માન્યતા છે કે બીજાના જ્ઞાન
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy