SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન જ્ઞાનાવરણી પહેલું. જૈનશાસ્ત્રની દષ્ટિએ જ્ઞાનાવરણીય કમને મુખ્ય કહ્યું છે, તે - જ્ઞાનાવરણીય કર્મની મુખ્યતાએ તેને પ્રથમ કહ્યું નથી. કેટલેક સ્થળે જન્મ પ્રમાણે અનુક્રમ રખાય છે, તે કેટલેક સ્થળે વસ્તુને ક્ષય કેવી રીતે થાય છે તે પ્રમાણે પણ અનુક્રમ રાખવામાં આવે છે. જ્ઞાનાવરણીય કર્મનું પ્રથમ સ્થાન એમાંની એકે ય દષ્ટિએ રાખવામાં આવેલું નથી. અનંતાનુબંધી કષાયની ( સત્તરદશ્ય, રામા ક્ષયાયar I To - ao Fro રૂ૪ ) માફક પહેલાં જ્ઞાનાવરણ કર્મ જાય, અને તે પછી - દર્શનાવરણીય કર્મ જાય તેમ પણ થવા પામતું નથી તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સૌથી પહેલાં બંધાતું પણ નથી, તે જ પ્રમાણે તે સૌથી પહેલાં ક્ષય પણ પામતું જ નથી, તે છતાં તેની ગણના પહેલી કરવામાં આવી છે. તેમાં એ જ વસ્તુ હેતુ રૂપે છે કે જ્ઞાન એ આત્માનું - લક્ષણ છે, અને તે લક્ષણને અંતરાય કરનારું જ્ઞાનાવરણી કર્મ છે, એ જ દૃષ્ટિએ જ્ઞાનાવરણ કર્મને સૌથી પહેલું સ્થાન મળ્યું છે. (3o io go દ૨) દશનાદિ ચેતનને અંગે જ છે. જેમ જ્ઞાન એ આત્માને ગુણ છે, તે જ પ્રમાણે દર્શન એ પણ આત્માને ગુણ છે, પણ દર્શન એ આત્માના ચેતના ગુણને અંગે જ રહેલે ગુણ છે. જે શરીરમાં ચેતન્ય નથી, જે શરીર ચેતનાથી રહિત બનેલું છે તેવા શરીરની આંખે કાંઈ પણ જોઈ શકવાની નથી. વળી સુખને આનંદ, દુઃખને શેક એ સઘળું જેને ચેતના છે તેને - જ હોય છે. ચેતના રહિત શબને તમે મિઠાઈ આપશે તે પણ તેથી તેને આનંદની પ્રાપ્તિ થતી નથી, કિંવા તમે શબને માર મારશે તે પણ તેથી તેને દુઃખ થવાનું નથી. સાચી કિંવા બેટી શ્રદ્ધા હેવી, આયુષ્યનો ઉદય, નામકર્મના ઉદયથી શરીર બાંધવું, ગોત્રમાં ઊંચા નીચાને વ્યપદેશ અને દાનદિને અંતરાય એ સઘળું ચેતનાને અનુસરીને જ છે. જે આત્મામાં અર્થાત્ કે જે શરીરમાં ચેતના નથી, તે શરીરને આ સઘળા સાથે કઈ પણ પ્રકારને સંબંધ હોઈ શકતું જ નથી. અર્થાત્ આત્માના -દર્શન, ચેતનાદિ બીજા અનેક ગુણે છે, પરંતુ તે જ્ઞાનગુણની અપેક્ષાએ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy