SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપચમી વ્યાખ્યાન ન. ૨. (સ. ૧૯૯૯ કારતક સુદ પાંચમ પાલીતાણા.) श्रुतमय मात्रा पोहाश्चिन्तामयभावनामये भवतः । ज्ञाने परे यथा है गुरुभक्तिविधानसलिङ्गे || श्लो० १२ षोडशके ॥ સર્વ દનામાં જ્ઞાનની હયાતિ. શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભવ્યજીવેાના ઉપકારને માટે જ્ઞાનાધિકારને જણાવતાં ફરમાવે છે કે, સ'સારભરમાં બૌદ્ધાદિકથી લઈને ઠેઠ નાસ્તિકદન સુધીમાં કોઈ પણ એવું દન નથી કે જે જ્ઞાનના સ્વીકાર કરતુ ન હેાય. નાસ્તિકદશન કદાચ જીવને પૂન્ય કે પાપને, સદૂગતિ કે દુર્ગતિને, મેાક્ષ કે પરલેાકને નહિ માને, પણ જ્ઞાનને તે સ્વીકારે જ છે. કોઇ પણું દર્શીન જ્ઞાનની જડ વગર સ્થાપી શકાતું નથી, વધી શકતુ નથી, ટકી શકતુ' નથી. ટૂંકમાં એટલુ કે સ દનામાં જ્ઞાન એ મુખ્ય વસ્તુ છે. અન્ય દર્શનકારોના મતે જ્ઞાન. આ પ્રમાણે સ દÖના જ્ઞાનની હૈયાતિ સ્વીકારે છે, પરન્તુ જ્ઞાન એ આત્માના ગુણ-ધ-સ્વભાવ છે, અને જ્ઞાનમય જ આત્મા છે' એવી માન્યતાવાળું જો કેાઈ પણ દૃન હેાય તે કેવળ એક જૈનદર્શન જ છે. બીજા દનવાળા જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, અર્થાત્ત આદિ ભેદો માને છે, પણ તે જ્ઞાન થવાની રીતને આભારી છે. ચક્ષુદ્વારા પ્રત્યક્ષ જોવાથી જે જ્ઞાન થાય, અને શબ્દ સાંભળવાથી જે જ્ઞાન થાય, તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. મૂળ વસ્તુનું તેની કોઈ પણ નિશાની દ્વારા જ્ઞાન થાય તે અનુમાનજ્ઞાન કહેવાય. ધુમાડા પરથી અગ્નિનું જ્ઞાન તે અનુમાનજ્ઞાન. ‘અગ્નિ’ એવા શબ્દ સાંભળવાથી જે જ્ઞાન થાય તે શાબ્દિક જ્ઞાન કહેવાય. તે જ્ઞાન ઉત્પન્ન થવાની રીતિએ જુદી જુદી હાવાથી લાકોએ તેનાં જુદાં જુદાં નામ રાખેલાં છે. આમ અન્ય દનકારાએ જ્ઞાન થવાની રીતિને અનુસારે જ્ઞાનના ભેદ માન્યા છે. પરન્તુ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે.' એ અપેક્ષાએ તેઓને જ્ઞાનના ભેદુ સૂઝયા નથી, સમજાયા નથી, માટે તેઓએ જૈન દ પ્રમાણે જ્ઞાનના ભેદ માન્યા નથી. ૨-૨
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy