SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન દર્શન અને જ્ઞાનમાં પ્રથમ કેણ ? અહીં કેટલાક આચાર્ય પ્રથમ દર્શન, કેટલાક પ્રથમ જ્ઞાન માને છે. અપેક્ષા ભેદ છે પણ વિરૂદ્ધ કોઈ નથી. અત્યંતરત બધાએ ગુરુ પાસે જ કરવાના છે, તેમજ બાહ્યના પશ્ચક્ખાણ પણ ગુરુને આધીન થઈ કરવાના છે. તમે વૃત્તિક્ષેપ નિયમ કરી ૨૦ ચીજ ખાવ છો, બીજો અભિગ્રહ કર્યા વગર એક રોટલે ને મરચું બે જ ચીજ ખાય તે વૃત્તિક્ષેપ કહેવાશે ? ના. મૂળ વસ્તુ પર આવે. amજ્ઞાનવારસાઈજ ક્ષમા I તેમજ જ્ઞાનરજારિત્રામાં મોક્ષમાર્ગ કઈ અપેક્ષાએ કહ્યું છે ? બંને સાચા છે, પણ અપેક્ષા સમજવી જોઈએ. બન્નેની વ્યવસ્થા થઈ જશે. સમ્યકત્વ બે પ્રકારનાં છે. નિસર્ગ અને અધિગમ. નિસર્ગ સમ્યક્ત્વદર્શનમાં માત્ર પોતાના આત્માથી પદાર્થો અનુભવે અને તે જાણે તે નિસર્ગસમ્યકત્વ, અને ગુરુ જીવાદિક પદાર્થો સમજાવે, તે જાણ્યા પછી શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યકત્વ. નિસર્ગ સમ્યક્ત્વ થયા છતાં અધિગમ સમ્યકત્વ થયાની જરૂર ગુરુઓ જણાવે છે. કહેવું જ પડશે કે નિસર્ગની અપેક્ષાએ પ્રથમ દર્શન સાઇન તે જ અધિગમની અપેક્ષા તથા જ્ઞાનશા વારિત્રાળ મોક્ષમા ! ગુરુ દ્વારા, જ્ઞાન દ્વારાએ અધિગમ સમ્યગુદર્શનની જરૂર શી ? જેમ ક્ષાપશમિક થયા પછી ફાયિકની જરૂર, તેમ નિસર્ગ પછી અધિગમની જરૂર છે. નિસર્ગમાં જોઈએ તેવી શુદ્ધિ નથી, અધિગમમાં તેથી વધારે શુદ્ધિ છે. માટે અધિગમ સમ્યક્દર્શનની અપેક્ષાએ સભ્ય જ્ઞાન મા ! કહી શકાય. આવી રીતે મોક્ષમાર્ગના અધિકારને અંગે કેટલાકે પ્રથમ દર્શન, અને કેટલાકે પ્રથમ જ્ઞાન માન્યું, પણ પાંચ આચારની વક્તવ્યતામાં કઈ જગ્યાએ પાઠ ભેદ નથી. એક સરખે જ પાઠ છે, જ્યાં જ્યાં આચાર દેખીએ ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ અને વર્યાચાર એમ જ અનુક્રમ છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy