SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પર્વ મહિમા દર્શન તે તેને એક જ માર્ગ છે કે આપણે પણ ગાંડાની માફક કૃત્રિમ ઉન્માદવશ બની જવું અને ગાંડાના ખોટેખોટા ચાળા કરી ગાંડામાં જ ખપી જવું. એ જ વસ્તુ હાલ સમયેચિત છે. રાજા ને મંત્રી કૃત્રિમ ઉન્માદધારી–ગાંડા બની ગયા. તેઓ પણ ગાંડા ગામલેકે સાથે નાચવા કૂદવા અને ધમાધમી કરવા મંડી પડયા! આ રીતિએ કૃમિ ગાંડપણ ધારણ કરીને પણ રાજાએ પોતાની સંપત્તિની સંરક્ષા કરી લીધી હતી. પછી ભારે વરસાદ થયે અને જનતાએ જ્યારે એ વરસાદનું જળ પીવાના કામમાં લીધું, ત્યારે પ્રજાને ઉન્માદ શાંત થયે, અને દેશને વ્યવહાર પાછા પૂર્વવતુ ચાલવા લાગે. આ દષ્ટાંત પરથી આપણે વિચારવાનું શું છે તે જોઈએ. આપણે કુવૃષ્ટિનું વ્હાનું કાઢીએ છીએ પરંતુ રાજાએ જેમ ઉન્માદ ધારણ કરી પિતાની સંપત્તિની રક્ષા કરી હતી, તેવી શાસનની રક્ષા આપણે કરતાં નથી. ગાંડાના જૂથને જોઈ પરિસ્થિતિ વિચારી રાજાને વજીર જેમ ગાંડાં બની ગયા હતા, તે જ રીતે ગીતાર્થ આચાર્યો પણ વેષધારીઓ જેવા જ થઈ રહેશે પણ જેમ સુસ્થિતિ આવતાં રાજા ને વજીર ડાહ્યા બની ગયા હતા, તે રીતિએ ગીતાર્થો પણ શાસનન્નતિને સમય ક્યારે આવે છે એવી ઈચ્છાથી જ તેવા બની રહેશે અને એમ બની રહેવામાં તેમને હેતુ આત્મકલ્યાણ અને શાસને દ્ધારને જ હશે. રાજા ને વજીર કૃત્રિમ ગાંડ૫ણ ધારણું કરે છે અને કૃત્રિમ ગાંડપણને ટૅગ કરે છે, પરંતુ તે સઘળું કરવામાં તેમને હેતુ તે પિતાના રાજત્વના અને પિતાની સંપત્તિની રક્ષા કરવાનું જ છે, તે જ રીતિએ આચાર્યો વેષધારીઓ સમાન થઈ રહેશે તેમાં પણ તેમને હેતુ તે આત્મરક્ષા–સંયમરક્ષા કરવાને છે. આવી રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આપેલી દેશનામાં પૂર્યપાળ રાજાને આવેલા આઠ સ્વપ્રોનું ફળ આ રીતે શાસનના ભવિષ્ય તરીકે જણાવેલું છે. દિપાલિકા અને પ્રભુ મહાવીર આર્ય પ્રજાને કેઈપણ મનુષ્ય એ નહિ હોય કે જે દિવાળીને પર્વથી અજાણ્યું હોય, છતાં દિવાળી શબ્દ લેકભાષાને હાઈ એનું સંસ્કૃત સ્વરૂપ ઘણુ ઓછા જ જાણતા હોય છે. દિવાળીનું સંસ્કૃત
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy