SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પર્વ મહિમા દર્શન ધર્મની જરૂર કયાં સુધી? ધર્મ પણ કુટુંબના, અર્થના, સંગના, શરીરના ભાગે પણ કરવાને, આચરવાને જરૂર પણ સર્વ કર્મથી મુક્ત થવાય ત્યાં સુધી જ એની આવશ્યકતા. ધર્મનું કામ કર્મ માત્રથી મુક્તિ મેળવી આપવાનું મુક્તિ મળે પછી ધર્મની જરૂરિયાત નથી. મોક્ષમાં ધર્મની જરૂર નથી. જ્યાં અધમ નથી, ત્યાં ધર્મની જરૂર હોય જ નહિ. સંસારમાં અધર્મ છે તેથી ધર્મ કરવાની આવશ્યકતા છે. જે કે ધર્મ પુરુષાર્થ છે પણ આટલી હદે એટલે મોક્ષના પગથિયાં સુધી. સ્ત્રી ચૂલે સળગાવેલે રાખે પણું રસોઈ થાય, થઈ રહે ત્યાં સુધી : પછી લાકડાં ભર્યો જાય તે રંધાયેલું દાઝે અને એ રસવતી કરનારી મૂખી ગણાય. રઈ થાય ત્યાં સુધી લાકડાની જરૂર, પણ રઈ થઈ ગઈ. ભાણામાં રસોઈ આવે પણ લાકડાં નહિ. જૈનદર્શન ને ઇતરદશનમાં ધર્મના લક્ષણમાં ભેદ. ધર્મ મેક્ષનું સાધન છે. (ચતુર્થssor, o શo) માટે તે પુરુષાર્થ જરૂર અને મોક્ષ પ્રાપ્તિ સુધી આચરવાની પણ જરૂર છે. અહીં જરા ઝીણવટમાં પણ ઉતરવું પડશે. અન્ય દર્શાનીઓ કહે છે કે જેનાથી સંસારમાં ઉદય મળે અને સિદ્ધિ પણ મળે તે ધર્મ. જૈનદર્શન કહે છે કે, જેનાથી સ્વર્ગ મળે તથા અપવર્ગ (મેલ) મળે તે ધર્મ. (10) તર્ક થશે કે આ બે માન્યતામાં ફરક છે? ભાઈ પણ માને જ અને બહેન પણ માની જ. ફરક ખરે કે નહિ ? માસી તથા ફેઈમાં ફરક ખરે કે નહિ? ઇતર દર્શનીએ દેવલેક માટે પણ ધર્મ કરવાને કહે છે એટલે કે મોક્ષની જેમ દેવકને (સ્વર્ગને) પણ સાધ્ય માને છે, જ્યારે જૈનદર્શન દેવકને પ્રાપ્ય માને છે, પણ સાધ્ય તે મેક્ષને જ માને છે. ખેડૂત ખેતી કરે છે તેમાં ઉદ્દેશ અનાજ મેળવવાને છે, ઘાસ મેળવવાને નથી, ઘાસ ઉગે છે ખરું: તે જ રીતિએ ધર્મ કરવામાં ઉદ્દેશ મોક્ષને છે પણ સ્વર્ગાદિ પ્રાપ્ય છે. ઈતર મન્તવ્યમાં સ્વર્ગ પણ ઉદ્દેશ તરીકે છે. ઈતરમન્તવ્ય તથા જૈનમન્તવ્યમાં ફરક આ છે. દષ્ટિ ફેર ! દિશા બદલે !! ભાન થયું હોય તે ગુલાંટ મારે!!! જૈનદર્શન ધર્મને સ્વતંત્ર પુરુષાર્થ નથી માનતું પણ સ્વતંત્ર
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy