SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાઈ–વ્યાખ્યાન દ્વિતીય–દિન–દેશના વાર્ષિક પર્વનું મહત્ત્વ. ભવ્યજીના ઉપકારને માટે આચાર્ય ભગવાન શ્રીમાન વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજાએ રચેલા અષ્ટાફ્રિકાના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં વિવેકી શ્રાવકેએ, વ્રતધારીએાએ છ અટ્રાઈએ આરાધવાની છે અને તેમાં પણ આ પર્યુષણ પર્વની અટ્રાઈ પણ વિધિપૂર્વક આરાધવાની છે એમ જણાવી ગયા. તેમાં આ પર્યુષણ પર્વ એ વાર્ષિક પર્વ છે. અને આઠમ, ચૌદશવગેરે તિથિ માસિકપર્વ છે. (હાકૃo ૩૬૨ o go રૂoe, o go B૦૮) એ પર્વની ગણના માસિક પર્વ તરીકે છે, જ્યારે પર્યુષણ પર્વની ગણના વાર્ષિક પર્વ તરીકે છે. વર્ષમાં એક જ વાર આવે અને એક જ વાર આરાધાય તે વાર્ષિક પર્વ. અધિવાસ્થ ધિરું એમ કહે છે તેથી શ્રાવણ ભાદરવામાં, વળી ભાદરવા આસમાં એમ બે વાર આરાધવામાં ખોટું શું ? એ પ્રશ્ન જ અસ્થાને છે, કેમકે જે એમ થાય તો એ વાર્ષિક ગણાતા પર્વનું વાર્ષિકપણું જ ઊડી જાય છે. વાર્ષિકપર્વ તેનું જ નામ કે જે વર્ષમાં એક જ વાર આવે. પિલા સાર્થવાહના મૂછના વાળની વાત યાદ છે? વાંકે પણ મારે !” એમ કહેનાર ને વટના આધારે, વળના આધારે વસ્તુના આધારે, તત્ત્વના આધારે તરત નાણાં મળ્યાં અને પેલા બીજાએ, “આ. એ વાંકે છે તો લે આ બીજો” એમ કડી મૂછનો બીજો વાળ તોડી આપે, તેની શી વલે થઈ? જેને પિતાના મૂછના વાળની કિંમત નથી તેના વચન ઉપર વિશ્વાસ રાખે કોણ? તેવી જ રીતે પર્યુષણ. પર્વ પણ બીજી વખત કરીએ” એમ કહેનારની એ જ વલે સમજવી. વાર્ષિક પર્વની ઉજવણી વર્ષમાં એક જ વખત થાય, અનેક વખત થાય તે તેનું વાર્ષિકપણું જ ઊડી જાય. જેમ એળીનું પર્વ ષામાસિક છે એટલે વર્ષમાં બે જ વાર આરાધના થાય, તેમ પર્યુષણ પર્વ એ વાર્ષિક પર્વ છે, તે વર્ષમાં એક જ વાર થાય; અન્યથા તેનું વાર્ષિકપણું વાર્ષિકપણાનું મહત્વ જ ન રહે. અડાઈઓની જેમ પણ આ અઠાઈ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy