SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન કે જેથી એ કિંમતી ગણાય છે; તેમ સંસારી આરંભાદિકમાં ખેંચી ગયેલા છતાં તે ગૃહસ્થ ભાગ્યશાળી છે કે જે પર્વ દિવસે, ઉદાયન રાજાની માફક જંગલમાં પણ પૌષધ કરે છે. તેઓ ગુડસ્થ છતાં ભાગ્યશાળીઓ છે, તે કેશુ? અને કઈરીતિએ ધર્મ પામ્યા; કઈ રીતે પૌષધને વખત આવ્યું તે જણાવે છે. લેકમાં સૂચવેલે સમય “તિમ પુર =ર્ષિજાતે ડિવિ” કહી જણાવે છે. સિંધુ સૌવીર દેશમાં વીતભયાદિક ૩૬૩ નગરના માલિક ઉદાયન રાજા છે, તેને કેશી નામને ભાણેજ છે. અહીં તે વાત ચાલુમાં બાજુ રાખી સંબંધ આગળ કહીશું. જીવત સ્વામિની પ્રતિમાને પ્રબંધ જીવતસ્વામિની પ્રતિમાની પૂજા કરનારી પ્રભાવતી રાણી કેવી રીતે થઈ, તે માટે જીવત સ્વામીને અધિકાર લે છે. કામધ નાર, ચંપાનગરીમાં જન્મથી લંપટી એ કુમારનંદી નામને સોની રહે છે. તે જે જે સારા રૂપવાળી કન્યાને જુએ છે, તેના પિતાને પ૦૦ સુવર્ણમહોરે આપી તેને પરણે છે. આમ કરતાં પ૦૦ સ્ત્રીઓ એકઠી કરી છે. આ બધી સ્ત્રીઓને એક થંભીયા મહેલમાં રાખી છે. આ સેનીને નાગિલ નામને શ્રાવક દેત છે. કેઈક વખતે પંચશૈલને માલિક વિદ્યુમ્માલીદેવ દેવીઓ સાથે નંદીશ્વરે જાત્રા કરવા જાય છે, દેવ જે વિદ્યુમ્માલી હતું તે માર્ગમાં ચવી ગયું. તે પછી હાસા–પ્રહાસા નામની બે દેવીઓ આ સનીને કામાન્ય સમજી ત્યાં આવી. તે બેને દેખીને “કામાંધ નૈવ રાતિ તે દેવીને આલિંગન કરવાની બુદ્ધિવાળે સની કહેવા લાગ્યું કે “તમે કોણ છે? અહીં કેમ આવી છે તે કહેવા લાગી કે “તમારે માટે !” સેની લંપટ હતું, દેવાંગના પિતા માટે આવેલી છે, તેમ જાણ્યું ત્યારે સેનીએ તેની પાસે પ્રાર્થના કરી, તે વખતે “હાસા–પ્રહાસા” કહે છે કે “તું પંચશૈલ દ્વિપ આવજે, ત્યાં આપણો સમાગમ થશે.” તેમ કહી તે દેવીઓ તે ઉડી ગઈ હવે સનીને તે ભરે ભાણે ભૂખ્યા જ રહેવાનું થયું. લંપટીને વાત કરીને તે તે ચાલી ગઈ. તેથી વિઠ્ઠલ દશા થઈ કેવી રીતે પંચોલે જવું ? સોનીએ રાજાને સોનૈયા ભેટ આપી પડયે વગડાવ્યું,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy