SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. ત્યારે તે તે કર્મ ઉદયમાં આવે અને ફળ આપે. આત્માએ કર્મબંધ વખતે જે રિથતિ બાંધી તે સ્થિતિવાળ કર્મ તરત ઉદયમાં ન આવે, પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે, અને ફળ આપે, અવસર ન આવે ત્યાં સુધી તે તે કર્મ સત્તામાં પડયું રહે, એટલે કે ને કર્મ આત્માને ચોંટીને રહે. જયાં સુધી તે ફળ ન આપે તે કાળને અબાધાકાળ કહેવાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ રિથતિ સિત્તેર ક્રોડાકોડ સાગરેપમની છે. તો તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો હોય છે. ત્યાંસુધી એ કર્મ ઉદયમાં આવી શકે નહીં. તેમ જ્ઞાનાવરણય કર્મની રિથતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધેલું તે કર્મ ત્રણ હજાર વર્ષ સુધી ઉદયમાં ન આવી શકે. એમ કર્મની રિથતિ ઉત્કૃષ્ટ–મધ્યમ અને જઘન્ય પણ હોય છે. જઘન્ય રિથતિ અંતર્મુહૂર્તની.અને ઉત્કૃષ્ટ રિથતિ સિત્તર કોડાકોડી સાગરોપમની અને તે સિવાયની વચલી મધ્યમ સ્થિતિ કહેવાય છે. જુદા જુદા કર્મની સ્થિતિ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે જુદી જુદી હોય છે.તેમ તે રિથતિ મુજબ તેને અબાધાકાળ પણ જુદા જુદા હોય છે. અંતર્મુહૂર્તને પણ અબાધાકાળ હોય છે માટે તે કહ્યું છે કે અત્યુગપુણ્ય પાપાનાં ફલમત્રાપિ દૃશ્યતે.એટલે કે અતિ ઉપુન્ય પાપાનું ફળ અહીંયાં પણ દેખાય છે. તે જ રીતે ભાણીયાને પણ પ્રભુના દર્શન સમયે એજ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy