SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ તેનું કારણ કે તેના તેવાજ સ્વભાવ છે. કપડાને, મકાનને, શરીરને, એવી અનેક અનેક જગતમાં રહેલ જડ વસ્તુને નહી વળગતા ફક્ત આત્માનેજ કેમ વળગે છે ? એને જવાબ એકજ છે કે કર્મ પુદ્દગલોના એવા સ્વભાવ છે. તે વાત દૃષ્ટાંતથી સમજાય છે. જેમ લેાહ ચૂંબક કપડાને ન ખેંચે. શરીરને ન ખેચે, પણ લેખ`ડને જ ખેંચે છે. શરીરના કોઇ ભાગમાં સાય પેસી ગઇ હાય, તે ચામડી ઉપર લેહ ચૂંબક ફેરવા તા અંદરની સાય ખેંચાઈને ફર્યો કરશે. અને લેહ ચૂંબકથી ખેંચાઈ આવશે. જેથી બહાર કાઢી શકાય છે. હાથ હોય કે પગ હાય, સાયજ બહાર આવશે, ચામડીના અંદરના માંસ ચરબી ખેંચાઇને બહાર નહી આવે. કારણ કે એવા સ્વભાવ છે. વસ્તુના વભાવના વિષયમાં તર્ક ન હોય, લીંબડામાં કડવાસ, સાકરમાં મીઠાસ, મરચામાં તીખાસ, આંબલીમાં ખટાશ, લૂણમાં ખારાશપણાને સ્વભાવ સ્વાભાવિક જ છે. તે તે વસ્તુઓના સ્વભાવના વિષયમાં તર્ક કરવાના હોય નહીં. તેમ ક પુદ્દગલાના પણ આત્માની સાથે ચાટવાના સ્વભાવ છે, એમ સમજી રાખવાનુ છે. અત્રે પ્રશ્ન થાય કે અરૂપી આત્માને રૂપી કા સબંધ કેવી રીતે થાય ? ઉત્તરમાં આત્મા જોકે તેના અસલી સ્વરૂપે સર્વથા અરૂપી છે. પણ સ’સારી (ક બદ્ધુ) આત્મા ચિત્ અરૂપી (રૂપારૂપી) છે. પણ સર્વથા માટે નહિ. કથ ંચિત્ રૂપી આત્માને રૂપી કર્મના સંબધ માનવામાં વાંધા આવતા નથી. +
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy