SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ચતુર એવી કન્યાને આપણી નાતમાં ક્યાંય સારા મુરતીયા મળતા નથી તે આ પડિતજીને સમજાવીને તેમની સાથે તેના લગ્ન હમણા જ કરી દઇએ. તેા તેની કુખે જગતના સૌથી મહાન્ જ્યોતિષી એવા પુત્ર પાર્ક, તમે જ્યોતિષીને સમજાવો તે ખરા. હું પણ આપણી પુત્રીની ઇચ્છા જાણી લઉં છું. બંને જણાએ પાતાની પુત્રીને વાત જણાવી. એટલે તે પણ વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે. એવા પ્રલેાભનથી સંમતિ આપી. એટલે ગોવાળ પડિતજી પાસે આવ્યા, અને બેક્લ્યા. હૈ પ ંડિતજી મારી પુત્રી હજી સુધી અવિવાહિત છે. એના લગ્ન માટે અમે બહુ આતુર છીએ. પણ એ હંમેશા ના પાડતી રહે છે. ન જાણે એમાં વિધિનુ શું વિધાન છૂપાયુ હશે. પણ આજ આપની વાત સાંભળીને અમારા મનમાં એ પ્રલાભન જાગી ઉડયુ છે કે જેના ઉપયોગ કરવા માટે આપ અસમર્થ છે. અમારી એ અભિલાષા અને પ્રાર્થના છે કે એ લાક વિષ્ટ જ્યોતિષી અમારી પુત્રીની કુ ખેજ ઉત્પન્ન થાય. આપના આશિષ અને દયાથી એક ન્યાતિષીની મા બનવાને તે યશ પ્રાપ્ત કરે. આપ બ્રાહ્મણ છેા. વિદ્વાન છેા. શ્રુતી સ્મૃતિના જ્ઞાતા છે મારી પુત્રી ઉપર કૃપા કરી. એના સંયમ અને ચારિત્રમાં અમેને વિશ્વાસ છે. આપને હું સાગઢ પૂર્વક જણાવું છુ કે આ જન્મમાં મારી પુત્રી ફરી બીજા પતિનુ મુખ નહી જુએ. આપની સ્મૃતિ હૃદયમાં જાગતી રાખીને અને આપના એ યશ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy