SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૪ એમ બે દિવસ ચાલ્યા ગયા છે, પણ મનમાં બીકો તેને ઘણી છે કારણ કે જ્યારે રાજકુંવર પધારશે, ત્યારે મારા બાર વાગીજશે. સહુને એમજ થશે કે આતો રાજકુંવરના વેશનો ચેર છે, એમ જાણીને મને માર મારશે, લાત મારશે, પણ શું કરું ? ચારે બાજુ ચોકી પહેરે ગોઠવાયેલે છે, જેથી નાશી ભાગી જવાય તેમ નથી. મનમાં તો મુંજાય છે પણ હવે લવારો કરતો નથી, કારણ કે ન બોલવામાં નવગુણ છે એવી કહેવત કહેવાય છે. સુ ! રંક દશામાં ભાણીયાએ જીનેશ્વરની મોટી પ્રતિમાના દર્શન કર્યા હતા. તેની અનુમોદના તેણે ચાલુ રાખી છે અને એક વખત પંડિતજી વિધાર્થીઓને નવકારમંત્ર શીખવાડતા હતા. બોલાવતા હતા, તે મુજબ કરાઓ બેલતા હતા, ત્યારે ભાણાએ પાઠશાળાના ઓટલે બેસીને તે નવકારમંત્ર માટે કરેલ હતો. તેમ નભરકાર કરવાથી સર્વ પાપનો નાશ થાય છે, તે પણ ધારી રાખેલ હતો. તે નવકારમંત્રને હંમેશાંયાદ કરે છે. હૃદયથી ભૂલ્યનથી. હાલમાં ભાણીયાએ મૌન રહેવું તેજ ઉચિત ધાર્યું છે. એમ બે દિવસ પસાર થઈ ગયા છે. એ વાતની જાણ વૈધોને, જોશીને, મંત્રવાદીને, આસનવાદીઓને પંડિતેને ભટ્ટ બ્રાહ્મણને, ભૂવાને, ડેશીઓને વિગેરેને જાણ થયેલ હોવાથી રાજકુંવરની તબીયત તપાસવાના બહાને વૈદ્યરાજ આવ્યા અને નાડ તપાસી કહ્યું કે તબિયતમાં ઘણેજ સુધારે છે. દવા બહુભારી અકસીર છે. હજી બે દિવસ દવા
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy