SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ પહોંચી શકે. ત્યારપછી બગડી જાય કે નાશ પામે તેમ કર્મબંધમાં કોઈ કમને સ્વભાવ જ્ઞાનગુણને દબાવવાનો હોય છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રેકે છે, દર્શનાવરણીય કર્મ દર્શનને રેકે છે. મોહનીય કર્મ આત્માને મૂંઝાવે છે. એટલે આત્માના વીતરાગ રૂપ સાચા સ્વભાવને દબાવે છે. વેદનીય કામ વેદના આપે. તેમજ આત્માના સાચા સુખને દબાવે છે. આયુષ્ય. કર્મથી દરેક ભવમાં અમુક વર્ષ સુધી જીવનની મર્યાદા બંધાય છે. આયુષ્ય કર્મ બંધ તે જીવનમાં એકજવાર હોય છે. નામ કર્મથી શરીર તથા તેની આકૃતિ તથા તેના રંગ વગેરે બને છે. ગોત્રકર્મ ઉંચ નીચ ગોત્ર આપે છે. અને અંતરાય કર્મ, આત્માના અનંત વીર્ય ગુણને દબાવે છે. અંતરાય કર્મના. ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી. પિતાની પાસે વસ્તુ હોવા છતાં તે બીજાને દયાની લાગણીથી આપી શક્તો નથી. પોતે તે વસ્તુ પિતાતા ભેગમાં એકવાર કે અનેક્વાર લઈ તેને ઉપભોગ કરી શક્યું નથી અને પિતાનું સામર્થ્ય છતાં તે યંગ્ય સ્થળે ફેરવી શકતા નથી. આ અંતરાય. કર્મને સ્વભાવ છે. " આયુષ્યકર્મને બંધ તે જીવનમાં એક જ વાર હોય છે. બાકીના સાત કર્મની પ્રકૃતિને બંધ સમય સમય હોય છે. દરેક સમયમાં સાતે કર્મ બંધાય છે. દરેક સમયમાં સાત કર્મ શી રીતે બંધાય ? એના સમાધાનમાં હરેક જીવને હરેક સમયમાં
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy