SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જાણીને ગુરૂ મહારાજ પાસે જઈ હાથ જોડી વિનતિ કરી. ભગવન! હવે મને ધર્મની આરાધના કરી. ગુરૂમહારાજે વિરતાર પૂર્વક આરાધના કરાવી. આ પ્રમાણે આરાધના પૂર્વક શ્રી મહાવીર પ્રભુનું હૃદયમાં સમરણ કરતી સુલસાસતી દેવલોકમાં ગઈ મોક્ષનું જ ધ્યેય હોવાથી સમકિતની આરાધનાથી સુસાએ શ્રી તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. તેથી દેવલેકમાંથી અવીને તે આવતી વીશીમાં આ ભરતક્ષેત્રમાં પંદરમાં નિર્મમ નામના તીર્થકર થશે. આ પ્રમાણેનું શ્રી સુલસા શ્રાવિકાનું ટુંક ચારિત્ર જાણીને તેની સમક્તિની દઢતા જાણીને હે ભજનો ! તમે પણ સમકિતની-સમ્યગ્દર્શનની નિર્મળતા મેળવીને આત્મકલ્યાણ સાધે. મહાનુભાવો ? જગતના છ કૌતુક જોવામાં કૌતુક કરવામાં ર્મના બંધ થાય છે. તે મોટા ભાગે જાણતા નથી. સુદેવ સુગુરૂ સુધર્મની ઓળખાણ કરતા નથી. તેમ આત્માને પણ પીછાણતાં નથી જેથી જ આજીવ અનાદિ કાળથી રખડપટી કરતે જ રહ્યો છે. ઉત્તમ એ મનુષ્ય જન્મ જેવો સુઅવસર મળ્યો છે. તો હે જીવ હજી પણ બાજી તારા હાથમાં છે. તેને તું સુધારી લે. આપણી ચાલુ વાત છત્રવરની ચાલે છે. તે કૌતુક કરવા માટે રંક બન્ય, હવે કેવી રમત થાય છે. તે જોવા માટે બગીચા બહાર ઉભો રહ્યો છે. રાજકુંવરને વેશ પહેરેલા ભાણીયાને ઘોડાગાડીમાં પરાણે બેસાડીને રાજા પાસે લઈ જાય છે. એ બધુ નજરોનજર છત્રકુંવરે જોયું પણ છે. ત્યારબાદ રંક
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy