SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જન્મ થયા. બ્રાહ્મણી તે નાળિયાને પોતાના પુત્રની જેમ પાળતી હતી. કેટલા વખત પછી તે બ્રાહ્મણીએ સુંદર પુત્રના જન્મ આપ્યા તેનું નામ ચંદ્ર રાખવામાં આવ્યું. એક દહાડા બ્રાહ્મણી પાણી ભરવા ગઈ. જતી વખતે નાળિયાના બચ્ચાને પેાતાના પુત્રની રક્ષા કરવા કહેતી ગઇ. બ્રાહ્મણીના ગયા પછી ત્યાં કાળા સાપ નીકળ્યા. તે સાપ સાથે નાળિયાએ યુધ્ધ કરી મારી ક્રોધથી નાંખ્યો અને સાપના લેાહીથી રંગાયેલા માઢા સાથે બ્રાહ્મણીને સમાચાર આપવા દરવાજે ગયા. બ્રાહ્મણી પાણી ભરી આવી. નાળિયાનુ લાહીવાળુ મોઢું જોઈ ‘ આણે મારા બાળકને મારી નાંખ્યા’ માની નાળિયાને ક્રોધથી મારી નાંખ્યા, ને તે ઘરમાં ગઈ તા બાળકને રમતા જોયા. સાપ મરેલા જોયા. ને બધું સમજી ને મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી. માટે હે સ્વામી ! પૂરેપૂરો વિચાર કર્યાં સિવાય કંઈ કામ કરવું નહિં. માટે ધીરજ ધરા.” આ સાંભળી મહારાજાએ મનમાં વિચાર્યું, “ આ મારી આજ્ઞાનું પાલન કર્યા વિના જ આવ્યા છે. તેથી આ પણ શતતિ જેવા જ છે.” બીજો પ્રહર પૂરા થતાં મહારાજાએ તેને વિદાય ક્યો, લક્ષમતિ જ્યારે ચાકી કરવા આવ્યે ત્યારે તેને ખેલાવી શતમતિને મારી નાંખવા કહ્યુ, મહારાજાની આજ્ઞા સાંભળી લક્ષમતિ ખેલ્યા, “હું રાજન! તમને કદાચ ઊંઘ આવી જાય. વળી તમારા પહેલાના કેટલાક શત્રુએ છે. માટે મારુ મન અહીંથી જવા ના પાડે છે.” “ હું જાગીશ.” રાજાએ કહ્યું, “તમે મારી આજ્ઞાા
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy