SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ક્ષેત્રોમાં વાપરી માનવજન્મ સફળ કરી રહ્યા હતા, તે વખતે તેમની પાસે શતમતિ, સહસ્રમતિ, લક્ષમતિ અને કોટિમતિ નામના ચાર અંગરક્ષકા હતા. આ ચાર અંગરક્ષકા મહારાજા જ્યારે સૂતા હાય ત્યારે એક એક પ્રહર વારાફરતી ચાકી કરતા. એક દહાડા જ્યારે મહારાજા સૂતા હતા, ત્યારે મહારાજાએ દૂરથી કોઇ સ્ત્રીના દયા ઉપજાવે તેવા રડવાના અવાજ સાંભળ્યા, ત્યારે શતમતિને કહ્યું, “તમે જાવ અને તે સ્ત્રીને રડવાનું કારણ પૂછો.” ત્યારે શતતિ એલ્યે, “હે રાજન, તમને હુમણાં ઊંઘ આવશે, તમારા કેટલાય શત્રુ છે તેથી તમને ડી. મારા જવાના વિચાર નથી. કહ્યું છે, જેના પર ઘણાનો. આધાર હાય તેની સારી રીતે સ ંભાળ લેવી.” આ સાંભળી મહારાજા ખેલ્યા, “તું આવીશ ત્યાં સુધી હું જાગતો જ રહીશ. મારી આજ્ઞાના અમલ કર, જા અને જલદી પાછે! આવ.” શતમતિના ગયા પછી મહારાજાએ પાન ખાધુ અને પા ની પત્ની પાસે ગયા, અને થોડીવારમાં રાણીની શય્યા પાસેની શય્યામાં ઊંઘી ગયા. મહારાજાની આજ્ઞાથી તે નગર બહાર રડતી સ્ત્રી પાસે શતતિ પહેાંચ્યા ને રડવાનું કારણ પૂછવા લાગ્યું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું અવંતી નગરીના રાજાની રાજ્યલક્ષ્મીની અધિષ્ઠાયિકા દેવી છું, હું રાજા પર આવતાં સટોને દૂ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy