SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ “તેઓ બધી વિદ્યાઓ જાણે છે.” આ સાંભળી તે બોલી, “મને તે યેગી દેખાડે. હું તેમને ખૂબ ધન આપીશ.” ભમાત્ર વેશ્યાને આશ્વાસન આપતે જંગલમાં લઈ ગયે. ને આસન પર બેઠેલા મેગીને બતાવ્યા. વેશ્યાએ ધ્યાનમાં બેઠેલા યેગીને પ્રણામ કર્યા ને કહ્યું, “હે પરોપકારી, દયાના, સાગર, જગતવંઘ ગીરાજ, મારા પર પ્રસન્ન થાય અને મારી દીકરીને હતી તેવી બનાવો. તમે જે માંગશે તે હું આપીશ, આ કામ કરવાથી તમને બહુ પુણ્ય થશે.” થોડીવાર સમાધિનું નાટક કરી માથું ધુણાવી ભેગીએ. કહ્યું, “તમે એક પરદેશીને ઠગે છે. તેના પાપથી તમારી દીકરી વાંદરી થઈ ગઈ છે. કરેલું પાપ આ ભવમાં ભેળવવું પડે છે. તમે પરદેશીની ખાટલી અને ગદડી લઈ લીધી છે. તે લાવી મારા પગ પાસે મૂકે. તે હું મંત્રથી તમારી દીકરીને હતી તેવી બનાવીશ. આ મારું કહ્યું નહિ કરે તે તમારી દીકરી મરી જશે.” યેગીના શબ્દો સાંભળી વેશ્યા ગભરાઈ, ડરીને ઉતાવળે જઈ ખાટલી, ગદડી લાવી ની આગળ મૂકી બોલી, “હવે. મારી દીકરીને સારી કરે.” યેગીએ ઠંડા પાણીના કુંડના પાણીથી તેને નવડાવી તેથી કામલતા મૂળ સ્વરૂપમાં આવી ગઈ એટલે એગીએ કહ્યું, “હવે જ્યારે પણ પરદેશીને ઠગશે નહિ” કહી ભદમાત્રની સાથે મહારાજા વિક્રમ અવંતિ તરફ ચાલ્યા. રસ્તામાં લેકે પર અનેક પ્રકારના ઉપકાર કરતા પિતાની પાસેની ચારે. વસ્તુઓ દાનમાં આપી દીધી ને પિતાની નગરીમાં આવ્યા.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy