SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ શ્રીપુર નામના નગરમાં કમલ નામને એક ગરીબ માણસ રહેતું હતું. તે જંગલમાંથી લાકડાં કાપી લાવી વેચી પિતાનું ગુજરાન કરતે હતો. એક દહાડે એ કમલ ફરતો ફરતો જંગલમાં ગયે. ત્યાં તેણે મંદિરમાં ગણપતિની મોટી લાકડાની મૂર્તિ જોઈ એટલે કમલ વિચારવા લાગે, “આ, મૂર્તિના કડા કરી વેચતાં કેટલાય દિવસ સુધી મારું ગુજરાન થશે.” આમ વિચારતે કમલ તે મૂર્તિને તેડવા તૈયાર થયે. પિતાની મૂર્તિને તોડવા તૈયાર થયેલા કમલને જોઈ ગણપતિ પ્રગટ થયા અને કહેવા લાગ્યા, “મારી મૂર્તિને ના તોડતો. તારે જે જોઈએ તે માંગ.” ત્યારે કમલે કહ્યું, “હેગણપતિજી, જે તમે મારા પર પ્રસન્ન થયા છે તે મારી કેટલાય દિવસની ભૂખને અન્ન આપી સંતે.” કમલના શબ્દો સાંભળી ગણપતિ કહેવા લાગ્યા, “હે કમલ, તું આજ અહીંથી ઘોળવાળા પાંચ માલપુઆ અને પાંચ સોના મહોર લઈ જજે. એ માલપુઆ તું નહિ ખાય ત્યાં સુધી તે ગમે તેટલાને ખવડાવવામાં આવે તે પણ તે પૂરા થશે નહિ. પણ જેજે આ વાત તું કેઈને ના કહેતો. જે દિવસે તું આ વાત કઈને કહીશ તે દિવસથી માલપુઆ અને સેના મહેરે મળશે નહિ.” તે દિવસથી કમલ પાંચ સેના મહેર અને માલપુઆથી પિતાનાં કુટુંબનું ગુજરાન કરવા લાગ્યા. તે પિતાનાં સગા સંબંધીઓને માલપુઆ આપતે. તે પછી તે પિતે ખાતે.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy