SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ કર૪ ચંદ્રાવતીના શબ્દો સાંભળી માણસ મને શું કરવાનું છે?” બોલતે તે વજદંડને વેગળે મૂકી સ્નાનાદિ કિયા પરવારી પૂજામાં બેઠે, તે વખતે મહારાજા ત્યાં આવ્યા ને વજદંડ ઉઠાવી બોલ્યા, “હે દુરાત્મા! છેલ્લે છેલ્લે ભકિતપૂર્વક પૂજન કરી લે. તારાં કર્મનાં ફળ આપવા તારે કાળ હું આવી પહોંચ્યો છું. હું કયારે પણ પાછળથી ઘા કરવા ઈચ્છતે નથી.” આ સાંભળી રાક્ષસ મનમાં બે, “મનફાવે તેમ મારો આગળ બોલનાર આ કેણ હશે ?” બોલતાં તેણે પૂજા પૂરી કરી કહ્યું, “ઓ કાળના કેળિયા ! તને મારી શક્તિની ખબર નથી. એટલે જ તું ગમેતેમ બેલે છે. જે જીવવા માગતે હોય તે ચાલ્યું જા. તું તે મારી આગળ મગતરા જે છે. હું દેવ, દાનવ અને માનવવિજેતા છું.” ઓ ગોંધ રાક્ષસાધમ ! તારા શબ્દો મને કંઈ જ અસર કરતા નથી. એ શબ્દથી ડરીને ભાગી જનાર બીજા. તારા ભ્રમણકાળ દરમ્યાન મારું નામ તારા કાને અથડાયું તે હશે? મેં ભયંકરમાં ભયંકર ખર્પર ચરને માર્યો છે. અગ્નિતાલ જેવા દૈત્યને મેં વશ કર્યો છે. કેટલાય દૈત્યનો નાશ મારાથી થયે અને કેટલાક મારા સેવકે પણ થયા છે. આજ એ વિકમ આ નગરને ઉજ્જડ કરનારને તેનાં કર્મનાં ફળ ચખાડવા અહીં આવે છે. જે તેને જીવન વહાલું હોય તે આ રાજકન્યાને અહીં રાખી નાસી છૂટ”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy