SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વીજાપુર થઇ શિવગંજ આવ્યા. અને મૌન એકાદશી કરી ત્યાંથી શ્રી ક્રટરાજી તીર્થની યાત્રા કરી. જાકેારાજી તીર્થની યાત્રા કરી ખીમેલ થઇ રાણીગાંવ આવ્યા. અહીયા ખીજોવા શ્રીસ ંધના આગેવાન બીજોવા પધારવા વિનંતી કરવા આવ્યા. અમે ત્યાંથી ખીજોવા ગયા. પૂજ્ય મુનિત્રમ્ શ્રી શિવાન ંદવિજયજીની આ જન્મભૂમિ હતી અને દીક્ષા પછી પહેલીજવાર વીસ વર્ષ પછી આવ્યા હતા, તેથી તેમનાં કુટુંબીજનામાં અને બધા શ્રીસંધમાં ધણું જ ઉત્સાહનુ વાતાવરણ જણાતું હતુ. સ્વજન અને શ્રીસ ંઘે અડ્ડાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવના, વ્યાખ્યાન શ્રવણ વગેરે શાસન પ્રભાવનાનાં શુભ કાર્યોં સારી રીતે કર્યા. ૧૫-૨૦ દિવસના અમારા અલ્પ સ્થિરતા દરમ્યાન શ્રીસંઘે શાસન પ્રભાવનાને સારા લાભ લીધેા. અને ચાતુર્માસ માટે ઘણા આગ્રહ સાથે વિનંતી કરી. પોષ વદ ૧૦ને દિવસે શ્રીવરકાણાજીમાં શ્રી પાર્શ્વનાથજીના જન્મકલ્યાણકના મેળા હતા તે પ્રસંગપર ખિજોવાથી વિહાર કરી શ્રીસંધ સાથે શ્રીવરકાણાજી આવ્યા ને શ્રીવરકાણાજીના તી પતિ શ્રીપા નાથનાં દર્શન કરી જન્મ સફળ કર્યાં. અહીં મારા સંસારી પક્ષના મેોટાભાઈ શ્રી મુળચંદુજી હુજારીમલજી વગેરેએ ખાલી પધારવા આગ્રહપૂર્વક વિન ંતી કરી. પરંતુ અમારે અહીંથી ફરી બોવા જવાનુ હોવાથી અમે બાલી જવાના નિણૂય ન કર્યાં. K વરકાણાજીથી અમે બિજોવા આવ્યા પછી મૂળચછ બાલીના શ્રીસંધના અગ્રણી વ્યક્તિને લઇ ફરીથી વિનતી કરવા આવ્યા. મૂળચંદજીએ બિન્નેવામાં ઘર દીઠ શ્રીફળની પ્રભાવના કરી. આગ્રહપૂણ વિનંતીથી બિજોવાથી ધણી થઈ ખાલી પહેાંચ્યા. મારી દીક્ષાના પંદર વર્ષ પછી પહેલી જ વાર અહીં આવવાનું થવાથી સ્વનાદિ તેમજ શ્રીસ ંધમાં ધણું ઉત્સાહનું વાતાવરણ ફેલાયું. શ્રી. મૂળચંદ હુજારીમલજી, ઉમેદમલ હજારીમલજી તથા કપૂરચંદ સાગરમલજી તેમજ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy