SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ ર my સામગ્રી એકાએક કેમ ચાલી જાય છે ? કન્યાત વ્યના ખ્યાલ, જગત્ત એટલે શુ? જગતના તમામ વ્યવહાર કાણુ ચલાવે છે, એને કાઇ સ‘ચાલક છે કે કુદરતી ચાલે છે? જડ અને ચેતનના ભેદ્દે, દ્રવ્યગુણ અને પર્યાયનું સ્વરૂપ આ બધા પદાર્થોનું' તલસ્પર્શી જ્ઞાન કરાવનાર જો કોઇ આ જગતમાં હાય તા તે જૈન શાસન છે. જૈન ધમ કહી કે જૈન શાસન કહા એના એક જ અર્થ છે. જગતના તમામ પદાર્થાના સ્વરૂપને સમજવા માટે જૈન શાસનમાં ચાર અનુયાગ દર્શાવ્યા છે. જેવા કે દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયાગ અને ધર્મકથાનુયાગ, આ ચાર અનુયાગમાં આખી દુનિયાનું સ્વરૂપ આવી જાય છે. એટલે આ શાસનની બલિહારી છે, પરમાત્માનુ' શાસન કેટલું વિશાળ છે. તેમાં કેટલુ' અને કેવુ' અદ્દભુત જ્ઞાન ભર્યુ છે અને તે આત્માને અત્ય ́ત હિતકારી છે. માટે જ કલ્યાણની કામનાવાળા આત્માઓએ આ શાસનનું શરણુ સ્વીકાર્યા સિવાય છૂટકા જ નથી. એકાંતે મહાલાભ કરનાર આ જૈન શાસન છે. આ શાસન સિવાય ભવ્યાત્માને ચાલી શકે તેમ નથી. આત્માનું કલ્યાણુ કરનાર અને દુઃખથી ઘેરાએલા આત્માએને દુઃખ મુક્ત કરી અનંત સુખમાં મ્હાલતા કરનાર આ શાસન છે. સાચી શાંતિ અને સાચુ' સુખ આપનાર આ શાસન છે. જ્યાં સુધી આત્માને એવી સમજણ ન આવે ત્યાં સુધી કોઈપણ આત્મા કલ્યાણ કરી શકે નહિ, પણ હમણાં આપણે શ્રદ્ધાના વિષય ઉપર વિવેચન કરી રહ્યા છીએ, ધર્મની આરાધનાના સાચા પાયા સાચી શ્રદ્ધા છે. જેને આપણે સમકિત કહીએ છીએ.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy