SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ કર્મને નાશ કરી સર્વજ્ઞ અને સર્વદશી અને પછી તેને જાણવા જેવા માટે ઈન્દ્રિયોની જરૂર નથી. આત્મા સ્વયં લોક-અલકને, રૂપી-અરૂપીને, જડ અને ચેતનને જાણી શકે છે-જોઈ શકે છે. કેટલીક વખત આપણને વિપરીત જ્ઞાન થાય છે, ભ્રમણા પણ થાય છે, કેટલીક વાર ખોટું જ્ઞાન થાય છે. આ બધું કર્મ જન્ય છે. આત્માના પિતાના સ્વભાવમાં જરા પણ ભ્રમણ નથી આત્મા તે સ્વરૂપે પૂર્ણ અને શુદ્ર છે. જેમકે-જળ ખુ અને નિર્મળ હોય છે પણ જ્યારે એમાં કચરો પડ્યો હેય ત્યારે તે અશુદ્ધ અને ડહેલ્થ દેખાશે એ અશુદ્ધતા અને ડહેળાપણું પાણીમાં કયરાના સંગથી એટલે પર સંગથી છે. પણ પાણી તે શુદ્ધ જ છે. ક્યારે નીચે બેસી જતા પાણીની નિમળતા માલુમ પડે છે. તેમ આત્મા પણ સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે પણ વર્તમાનમાં કમરૂપ કચરાથી અશુદ્ધ બને છે. એ કર્મની મલીનતાથી અજ્ઞાન તામાં રમી રહ્યો છે આ અજ્ઞાનતા કર્મજન્ય છે. આ અજ્ઞાનતાના કારણે જ સત્ય વસ્તુનું ભાન થતું નથી, સત્યને અસત્ય સમજે છે અને અસત્યને સત્ય સમજે છે. એટલે મતલબ એ થઈ કે જે વસ્તુ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ જાણે. એનું નામ જ સમ્યજ્ઞાન ઈતર લેકે પણ તીર્થકર દેના ચરિત્રે વાંચે છે, વિચારે છે અને ભગવાન મહાવીર આજથી અઢી હજાર વર્ષ પહેલા થયા એમ જાણે છે. પણ તેમને પરમાત્મા તરીકે માનતા
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy