SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હયાખ્યાન ૪ થું છે. તેની પાસે છે એ વાત નિશ્ચિત છે. પણ અત્યારે તે જરૂર દબાયેલે છે, અપ્રગટ છે. જેમ કેઈના ઘરમાં ફ્રોડનું નિધાન દાટેલું હોય પણ જે માલીકને ખબર ન હોય તે તે કંડ છે તે ઘરમાં, પણ અત્યારે કંઈ તે માલીકને કામ આવતા નથી. અહીં આપણે ધર્મ એટલે આત્માના સ્વભાવરૂપ ધર્મનું વર્ણન કરી રહ્યા છીએ. આત્મા મહાન શક્તિશાળી છે, અને વૈભવશાળી છે. અનંતજ્ઞાન અને અનંતદર્શન શક્તિ ધરાવે છે. જ્ઞાન અને દર્શન એ આત્માના અસાધારણ ગુણે છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં દર્શન-જ્ઞાન છે, અને જ્યાં જ્યાં દર્શન-જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. નિગોદમાં પણ અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે છે. આત્મા સિવાય જ્ઞાન વિગેરે ગુણે બીજી કઈ વસ્તુમાં રહેતા નથી. આત્મા ચેતન છે, તે સિવાયની તમામ વસ્તુ જડ છે, છતાં જડના સંગે વર્તમાનમાં તે પિતાને સ્વભાવ ભૂલી ગયે છે તેથી તે ચોરાશી લક્ષ નિમાં ઝુલી રહ્યો છે અને નરક નિગોદમાં રૂલી રહ્યો છે. આ માનવભવમાં આપણને એવી ઉમદા તક મળી છે કે આપણે આપણા સ્વભાવને સંપૂર્ણ રીતે પ્રગટાવી શકીએ છીએ. માટે વર્તમાન કાળ આપણા માટે ઘણો સારો છે, ઘણે ઉપયોગી છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ આત્માને સ્વભાવ છે અને એજ મેક્ષનો માર્ગ છે, માટે જ શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તવાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્ર તરીકે “
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy