SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ થાન સ્થિર જિd wાહેરનષ્ણુન: રાહેર વાતો ગ્રાસેનામાનમ | અભ્યાસથી ચિત્ત થિર થાય છે. અભ્યાસથી વાયુને (પ્રાણુને) કાબૂમાં લાવી શકાય છે, અભ્યાસથી પરમાનંદની પ્રાપિત થાય છે અને અભ્યાસથી જ આત્મદર્શન થઈ શકે છે. સ્વભાવ બદલાય છે નિમિત્તથી પિદા થયેલે સ્વભાવ એ પરિવર્તન પામે છે, ઘડી ઘડી બદલાય છે, કે આપણા વખાણ-કે પ્રશંસા કરે તે ‘ફૂલીને ફાળકા થઈએ છીએ અને કોઈ આપણું અપમાન કરે તે તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. કઈ વસ્તુની લાલચ થઈ કે માયા અને કપટ આવવાના જ, એટલે મનગમતી વસ્તુ ઉપર રાગ પેદા થશે અને અણગમતી વસ્તુ ઉપર દ્વેષ પેદા થશે, નિમિત્ત પ્રમાણે સ્વભાવ બદલાશે જે સ્વભાવ વારંવાર બદલાય તે આપણો સ્વભાવ નહિ મરચાને ગમે ત્યારે વાપરો એ તીખા જ લાગવાના અને સાકરને ગમે ત્યારે વાપરશે તે તે મીઠી જ લાગવાની. કારણ એ એને મૂળ સ્વભાવ છે. એમાં જે કઈ બીજી વસ્તુનું મિશ્રણ થાય તે તીખાશ અને મીઠાશમાં ફરક પડશે. જેમકે સુવર્ણ માં જ્યાં સુધી બીજી ધાતુ મળેલી હશે, થાને બીજી ધાતુનો ભેગ હશે તે તેને અગ્નિમાં તપાવતા અને નવસાર વિગેરે પદાર્થ નાંખતા તરત જ ધૂમાડો નીક ળશે અને કાળાશ જણાશે, એ ધૂમાડો કે કાળાશ એ સેનાને નથી. સુવર્ણ તે પ્યાર છે, સ્વરૂપે શુદ્ધ છે, પણ બીજી
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy