SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મ તવ પ્રકાશ મિતી મળે માંગી મળે ન ભીખ” એ કહેવત લાગુ પડે છે. પરમામાની ભક્તિ નિશ્ચિત ફળનારી છે એ વાત નિર્વિવાદ છે એમાં શંકા રાખવા જેવી નથી. અહીં બીલકુલ નિઃસંદેહ બુદ્ધિ રાખવાની છે કારણ કે શંકા કરવાથી ફળમાં કસર પડે છે એ વાત શાસ્ત્ર સિદ્ધ છે, એક શ્રાવક સુખી અને સમૃદ્ધ હતે પણ એને છોકરો ન હતા એને છોકરાની લાલસા હતી છતા તે ધર્મની શ્રદ્ધા વાળો હતો, તેથી એણે વિધિપૂર્વક લાખ નવકાર ગણવાની શરૂઆત કરી. નવકારના પ્રભાવથી બધી વસ્તુ સિદ્ધ થાય છે, તેમ સમજીને વિધિપૂર્વક નવકાર ગણવા લાગે. વિધિપૂર્વક નવકાર ગણતા (૫૦૦૦૦) પચાસ હજાર નવકારને જાપ થયે ત્યારે તેના મનમાં વિચાર થયે કે હું વિધિપૂર્વક નવકાર ગણું છું પણ હજી સુધી કંઈ દેખાતું નથી, કેણ જાણે ફળ મળશે કે નહિ ? તેજ વખતે તેને અધિષ્ઠાયક દેવીએ કહ્યું તે બહુ ભૂલ કરી છે. આવી શંકા કરવાથી તારૂં ફળ ઘણું ઓછું થઈ ગયું તારે છોક થશે પણ તે તારે કામ નહિ આવે, દેવી આમ કહીને અદશ્ય થઈ ગઈ, શ્રાવકે લાખ નવકાર પૂરા કર્યા, ઘરે છોકરાને જન્મ થયે, ઉંમર લાયક થયા. તે ખૂબ ધર્મિષ્ટ હતો, વૈરાગી હતા, એને સંસારમાં રાખવા માટે શેઠે એવા મિત્રની સેબતમાં પાડ્યો. ખરાબ સોબતથી છોકરે બગડે, વશ્યાગામી બજે, હવે બેલાવવા છતાં પણ તે ઘેર આવતું નથી. માત-પિતાની સાથે બેલ નથી, માતા-પિતાનું સાંભળતું નથી, સમજાવવા છતાં સમજ નથી, વેશ્યાને આપવા • માટે ઘડી ઘડી ધનની માંગણી કરે છે, માતા-પિતા મેહથી
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy