SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ mmmmmmmmmm બજારના માગ અંગીકાર કર્યો ત્યારે અનેક પ્રધાનો, ધનાઢ્યો અને મહાજનવગે રાજાની સાથે જ દીક્ષા અંગીકાર કરી. માટે જ કહ્યું છે કે “પાનને ચેન ઘર ન થા.” મોટા ભાગે જનતા મહાન પુરુષનું અનુકરણ કરે છે અને એમની પાછળ ચાલે છે અને એ એક રાજમાર્ગ બની જાય છે. તપનઋષિ તથા અનેક નૂતન દીક્ષિતે સાથે પૂજનીય આચાર્ય મહારાજ શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યાંથી વિહાર કરી અને ભૂમિત લને પાવન કરતા ભવ્યજને ઉપર ઉપકાર કરવા લાગ્યા. રાજ્યાભિષેક ત્યારબાદ ગજેન્દ્રની સુંઢમાં મંગળ કળશ અર્પણ કરી મંત્રીશ્વરે હાથીને હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યા કે હે ગજેન્દ્ર! આ રાજ્યગાદીને શોભાવે તેવા પુરુષ પર કળશ ઢાળી એને રાજ્ય અર્પણ કરી આપ વિજયવંત વર્તે. એટલે તે વખતે સુવર્ણ અલંકારોથી અલંકૃત એ ગજરાજ મેઘગજ રવની જેમ મંજુલ ધ્વનિ કરે તે આગળ ચાલ્યા. મંત્રીઓ અને બળે પરિવાર તેની પાછળ પાછળ ચાલે છે. આ પ્રમાણે હસ્તિરને સૂંઢમાં મંગળ કળશ લઈ પ્રયાણ શરૂ કર્યું. માર્ગમાં પંચરંગી પુરૂષ હાથીની સંમુખ આવીને ઉભા રહે છે. રાય અને રંક પણ સામે આવીને ઉભા રહે છે. મનમાં તેઓ એમ ધારતા હતા કે આ હાથી રાણા મારા ઉપર કળશ ઢળશે પણ હાથી તે કોઈની સામે પણ ન જોતા આગળ ને આગળ ચાલ્યા જાય છે.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy