SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન અઢારમું શ્રાવકના હસ્તકના પાટણના જ્ઞાનભંડારના કેટલાય પુસ્તકો ત્યાંથી સરસ્વતી નદીમાં પધરાવી દેવા પડયા. ખંભતાના જ્ઞાનભંડારની કેટલીય પ્રતે ખંભાતના અખાતમાં નાંખી દેવી પડી. સાધુ-મહારાજાઓની દેખરેખ નીચે જે જ્ઞાનભંડારો હતા તે સુરક્ષિત અને સુચારૂરૂપે સચવાઈ રહ્યા અને રહે છે. કારણ કે તેઓ પુસ્તકને-પ્રતને પિતાને સાચો ખજાને સમજે છે. આણાએ ધમો જૈન શાસનની પ્રણાલિકા અત્યંત ઉત્તમ છે. સામાયિક પષધ, ઉપવાસાદિ દરેક ધાર્મિક કાર્ય આપણે ગુરુ મહારાજની આજ્ઞા લઈને કરીએ છીએ. આથી સમજી શકાશે કેજેના શાસનમાં સદ્દગુરૂનું સ્થાન કેટલું મહત્વનું છે. કેઈ વ્યક્તિને મહીનાના ઉપવાસ કરવા હોય તે ગુરુ મહારાજ આજ્ઞા આપે તે કરી શકાય! જે ગુરૂ મહારાજ આજ્ઞા ન આપે તે મહીનાના ઉપવાસ પણ ન કરી શકાય અને કોઈ ઉપરવટ થઈને કરે તે તે આરાધક નહિ પણ વિરાધકની કેટમાં આવે છે એટલે જૈન શાસનમાં “શાળા ઘ” આજ્ઞામાં ધર્મ કહેલ છે. ગુરુની આજ્ઞાથી એક નવકારશી કરનાર તે આરાધક ગણાય છે અને ગુરુ આજ્ઞા વિરુદ્ધ માસખમણની તપશ્ચર્યા આદરનાર પણ વિરાધક ગણાય છે. અરે ! ગુરુ આજ્ઞા વગર નાની સરખી ક્રિયા કરવાને પણ નિષેધ કરવામાં આવ્યા છે. ખાંસી કે ઉધરસ ખાવી હોય તે તેમાં પણ ગુરુની આજ્ઞા લેવી પડે છે. પણ વાર વાર આપણે ખાંસી–ઉધરસ ખાવાની આજ્ઞા
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy