SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ થમ તવ પ્રકાશ ગણના કરવામાં આવી છે. આ ભાવ મંગળ દ્વારા કલ્યાણની કામના વાળા આત્માઓએ અન્યના કલ્યાણની જ કામના કર વાની છે. અન્યના કલ્યાણમાં આપણું કલ્યાણ તે સુતરાં થાય જ છે. આજે તે ઘણાએ મોજશોખ, એશઆરામ, અને અમન ચમન કરવાની, કમાવાની અને કમાઈને ભેગુ કરવાની ભાવના ભાવે છે. મોટા ભાગે આજે લેકે અનિતિ અને અધર્મ દ્વારા ભેગુ કરવા માગે છે. એટલે મંગળના બદલે અપમંગળ થાય છે. મંગળ એ શુભ વસ્તુ છે. ઉંચી વસ્તુ છે પણ સાચી સમ જના અભાવે મંગળના બદલે આપણે આપણું જ અપમંગળ કરીએ છીએ. કાર્તિક સુદ એકમના દિવસે પાને બેસતા વર્ષે શ્રી ગૌતમ હવામી ભગવાનને કેવળજ્ઞાન થયું, એ વસ્તુની ખૂશાલીમાં આપણે નૂતનવર્ષના પ્રારંભમાં વિશિષ્ટ મંગળ કરીએ છીએ, ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તેથી સમરત વિશ્વ ગમગીન બન્યું અને વિષાદના ઘેરા વાદળ છવાયા. એ ખેદ માંથી ઉગારનાર તે ગૌતમસ્વામી ભગવાન. ગણધર ભગવંત શ્રી ગૌતરસ્વામીના મંગળ નામનું સ્મરણ કરતાં અને તેમના નામને જાપ જપતાં મંગળ થાય છે. સર્વ કાધનાઓ, અભિલાષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય છે. એ મહાપુરુષ મહાલબ્ધિવંત હતા. એ મહાપુરુષને હાથ જેમના મસ્તક ઉપર પડતે હવે એ બધાયને કેવળજ્ઞાન થતું હતું. ભગવાન મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુઓમાં ૭૦૦
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy