SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પાયાન સવાર પૂજા કરવા માટે નગરની બહાર ગયા હતા. તેટલામાં ત્યાં છ જણની તેફાની ટૂકડી આવી ચઢી બંધુમતીનું અનેરું સૌંદર્ય નિહાળી સૌ તેની તરફ આકર્ષાયા. પરસ્પર સૌએ વિચાર કર્યો કે-એનકેન બંધુમતી સાથે આપણે મજા માણવી પણ એને પતિ સાથે હતું, તેથી તેઓએ વિચાર કર્યો કે આપણા છની આગળ એનું શું ગજું! પકડો એને અને દેરડાથી બાંધે. આ વિચાર અમલમાં મૂકો અને અનમાળીને દોરડાથી મુશ્કેટોટ બાંધી એક ખૂણામાં નાખે. બંધુમતી આ દશ્ય જોઈ ગભાઈ પણ એ છએ જણાએ તેણીને પકડી અને અર્જુન માળીની સામે જ ભોગ ભોગવવા લાગ્યા. અર્જુન માળી આ લોકોના આવા ખરાબ વર્તનથી ભારે ઉશ્કેરાયે. એના કેને પાર ન રહ્યો. પણ એ લાચાર હતે. એને દોરડાથી કસીને બાંધવામાં આવ્યું હતું. છેવટે અજુનને યક્ષ ઉપર ક્રોધ ચઢયો. અર દુષ્ટ યક્ષ! મેં તારી સેવાભક્તિ કરી શું એનું ફળ કંઈ નહિ? તું શું જોઈ રહ્યો છે? તું સાચે દેવ નથી. પત્થર જ લાગે છે. આ સાંભળતા યક્ષ ચીડાય અને અજુનમાળીના દેહમાં એણે પ્રવેશ કર્યો. દેરડા તેડી નાખ્યા અને ભારે ગદા ઉપાડી છએ પુરુષને અને એક સ્ત્રીને એમ સાતેને ઘાણ વા. સૌને પ્રાણ ગયા. અર્જુન માળી દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરતું હતું, ૧-૨ દિવસ નહિ, પણ મહિનાઓ સુધી તેણે આ રીતે રોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરવાનું ચાલુ રાખ્યું હતું જ્યાં સુધી અર્જુન માળીએ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા ન કરી હોય ત્યાં સુધી રાજગૃહીના દરવાજા
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy