SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પિઠ થમ તત્વ પ્રકાશ ભેગવવું પડે. આવી મૂર્ખાઈ આપણે આત્મા અનંત કાળથી કરતે આવ્યા છે. શ્રી જીનેશ્વર દેવનું મહાશાસન મળ્યા પછી પણ સદ્ગુરુના સમાગમમાં આવ્યા પછી પણ અને શાસ્ત્રોના શ્રવણ પછી પણ જો આવી જ મૂખઈ કરતા રહીશું તે પછી આપણું સ્થિતિ કેવી થશે એ જાતે જ વિચારવાનું છે. શ્રી પાળીએ શ્રીકાંત રાજાના ભવમાં મુનિવરની આશાતના કર્યા પછી તેમની શ્રીકાંતારાણીને સમજાવવાથી તેઓએ મુનિશ્રીના ચરણકમળમાં પડી પુનઃ પુનઃ ક્ષમા માંગી. મુનિશ્રીને બહુમાનપૂર્વક ઘેર પધરાવ્યા. પગમાં પડયા અને મુનિરાજના ઉપદેશથી શ્રી સિદ્ધચકની આરાધના શરૂ કરી. તેથી ચેડામાં બચી ગયા, એક જન્મમાં જ યાને શ્રીપાળજીના ભાવમાં કેઢ રેગ વિ. થયે. થોડા વખત આપત્તિઓ ભેગવવી પડી પણ શ્રી સિદ્ધચકજીની આરાધનથી ભયંકર દુઃખથી બચી ગયા. આમ વિરાધના અને આરાધનાનું બનેલું ફળ આપણી નજર સમક્ષ છે. આપણે શું કરવું એ આપણે જ સમજવાનું છે. જ્ઞાનની આશાતના માષતુષ મુનિના આત્માએ પણ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી. તેના પરિણામે “મારુષ અને મા તુષ” આ પદ પણ મહા મહેનત કરવા છતાં કંઠસ્થ નહેતા થતાં અને “માસતુષ” માસતુષ થઈ ગયું. પણ કંઠસ્થ કરવાને પ્રયત્ન ચાલુ રાખ્યો અને ભાવનામાં ચઢી જતાં અંતે તેઓ કેવળજ્ઞાન પામ્યા. પણ એક વાર તે એમને જ્ઞાનની વિરાધનાઈ ફળ વર્ષો સુધી જોગવવું પડયું.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy