SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વાખ્યાન સોળમું ~ ~ ~ ~~ ધમ કેને ફળે? ધર્મ એ યોગ્ય આને ફળે છે પણ અગ્ય આત્માને ફળ નથી. જેમકે અનાજમાં ઉગવાની શક્તિ છે, છતાં અનાજના થેલે થેલા ભરીને સમુદ્રના કિનારે ચા ખારી ભૂમિમાં વાવવામાં આવે તે એક પણ દાણ ઉગશે નહિ, પણ બધા ય દાણા ખારરૂપે પરિણમી વિનાશ પામશે, પણ એનું એ અનાજ ફળદ્વપ, મીઠી, કાળી અને એગ્ય ભૂમિમાં વાવવામાં આવે તે એક દાણાના સો દાણા ઉત્પન્ન થશે. ૧૦૦ દાણાના દસ હજાર અને દસ હજાર દાણાના દસ લાખ દાણુ ઉત્પન્ન થશે. અનાજમાં ઉગવાની શક્તિ હોવા છતાં ખારી ભૂમિના કારણે ગ્યતાના કારણે વાવેલું અનાજ જેમ નિષ્ફળ જાય છે, તેવી રીતે પરમાત્મા જિનેશ્વર દેવે કથન કરેલા ધર્મમાં ફળ આપવાની અનેરી તાકાત હોવા છતાં, વ્યક્તિની અગ્યતાના કારણે તેવું ફળ મળી શકતું નથી, તેમાં ધર્મની કસર નથી પણ આપણી કસર છે. જરૂર છે ગ્યતાની જે આપણે આત્મા એગ્ય બને તે ધર્મ જરૂર ફળે. શ્રીપાળ મહારાજાને ભયંકર ઉબર જાતિને કોઢ રોગ હતું, પરંત શ્રી સિદ્ધચક્રજીની એક જ ઓળીની આરાધના કરતાં તે કેઢ રોગ મૂળથી નાશ પામ્યા અને કાયા કંચન જેવી સુંદર બની ગઈ. એમની માતા પણ એમને ન ઓળખી શકી, એવી સુંદર અને તેજસ્વી એમની કાયા બની ગઈ. શ્રી સિદ્ધચક્રજીના આરાધનથી અને તેના હવણ જળથી કોઢ રોગ કરી
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy