SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધર્મ તત્વ પ્રકાશ માળાને જેમ તેમ દૂર ફેંકતા હતા, આ રીતે શેઠજીની રીતભાત જોઇને શેઠના એક નેાકર હતા, જે જાતિના હજામ હતા પણ એ બહુ ચકાર હતા અને ધર્મના પ્રેમી હતા. કવિએ કહે છે કે- “નરેષુ નાપિતઃ ધૃત: પક્ષીષુ વાયસ્તથા. ” માણસામાં હજામની જાત ખૂબ ધૂત હોય છે અને પક્ષીઓમાં કાગડા ત હોય છે. શેઠના નાકર હજામે વિચાર કર્યો કે શેઠજીને તા કઇ કહેવાય નહિ કારણ મર્યાદા હતી. સહાજનના માભા પ્રાચીન કાળમાં મહાજનના ઘણા માલા હતા, મહાજનના પડચા માલ અઢારે કામ ઝીલી લેતી હતી, મહાજનના અવાજ રાજા સુધી પહેાંચતા હતા, રાજાને પણ મહાજનની વાત ઉપર વિચાર કરવા પડતા હતા, કારણ કે મહાજન રૂઠે તા અઢારે કામ રાખે ભરાય. પ્રાચીન કાળમાં રાજા, મંત્રી, નગરશેઠ, સેનાધિપતિ અને પુરાહિત આ પાંચ જણની સલાહ સૂચના મુજબ નવા હુકમા બહાર પડતા હતા. અમુક વખત માટે પ્રજાની અઢારે કામ તરફથી નગરશેઠને અગ્રેસર નીમવામાં આવતા હતા એટલે નગરશેઠ અઢારે કામનેા ખ્યાલ રાખીને જ કાયદાકાનૂન ઉપર સહી કરતા હતા. મંત્રી પ્રજાનું હિત અને રાજાનું હિત બન્નેનુ' હિત જળવાઈ રહે તેના ખ્યાલ રાખી અને સેનાધિપતિ સેનાના હિતાહુિતના ખ્યાલ રાખી કાયદા પર સહી કરતા હતા.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy