SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ m amamanan ધર્મ તવ પ્રકાશ * ટકા એજ ધર્મ, પૈસે એજ પરમ પદ અને પૈસે એજ સર્વસ્વ, જેને ત્યાં લક્ષ્મી નથી તેની આ જગતમાં કશીય કિંમત નથી. ધન અને લક્ષમી હોય તે પધારો ધરમચંદ શેઠ અને જે એ ગરીબ હોય તે અલ્યા એ ધમલા? પૈસે હોય તે પધારો નાથાલાલ શેઠ અને નિર્ધન હોય તો એય નાથીયા એમ કહીને લેકે બોલાવે. બસ જ્યાં જુઓ ત્યાં પૈસાની જ બોલબાલા છે. પાનનું બીડુ કે હાને કપ જોઈએ તે પૈસા વગર ન મળે પૈસાથી જ બધું ખરીદી શકાય છે. - કવિ કહે છે કે શાહી જે કાળો હોય માખીને માળો હાથ એવા પણ માણસ પાસે જે પૈસે છે તે પધારે શેઠ સાહેબ, મતલબ પૈસાની કિંમત છે, માટે જગત એની પાછળ પડયું છે. એવી જ રીતે જે આપણા હૃદયમાં ધર્મની કિંમત સમજાઈ જાય કે ધર્મ એ સર્વોપરિ છે, ધર્મ એજ સાર છે, ધર્મ એજ આધાર છે અને ધર્મ જ હૈયાને હાર છે તે માણસ એના માટે સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય. , આપણી વાત એ ચાલે છે કે આપણને ધર્મ કરતાં જગતના પાર્થિવ પદાર્થ ઉપર વધારે પ્રેમ છે એ તે સ્પષ્ટ છે, પણ આ જગતમાં એવી પણ કાઈ નજીવી, સામાન્ય અને તુચ્છ વસ્તુ છે કે નહીં કે જે વસ્તુ કરતા, ધર્મ ઉપર આપણને પ્રેમ વધારે હોય! અરે ચંપલ કે નવા બૂટ ખરીદ્યા હોય અને મંદિરે દર્શન કરવા ગયા હોઈએ ત્યારે બૂટ કે
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy