SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ કાશ્મીરી કાગળને પત્થરના લીસા ઘેટાઓ દ્વારા ખૂબ ઘસીને કાગળને ચકચકાટ કરી પાર્ટી દ્વારા તેને હાંસી આ પાડી, ત્રિપાઠી પંચપાઠી પડિમાત્રા વિગેરે જુદી જુદી લીપીઓથી એવા મરોડદાર, મોતીના દાણા જેવા અક્ષરોથી લહી. આઓ લખતા હતા અને એવા સુંદર કળામય ચિત્ર અને વેલો વિગેરે આજુબાજુ મૂકવામાં આવતા હતા કે જેનાર ઘડીભર થંભી જાય અને લખનારની કળા ઉપર ઓવારી જાય કાશ્મીરી કાગળ પર-કાચી શાહીને ઉપગ કરવામાં આવતે કારણ કે પાકી શાહીથી કોગળામાં કાણું પડી જાય, અને કાગળ ખવાઈ જાય માટે કાચી શાહી વપરાતી અને તેમાં ગુંદર નાંખવામાં આવતે તે પણ પ્રમાણસર નહિતર કાગળો ચૂંટી જાય અને ચૂંટેલા એ કાગળો ઉઘાડતા પાનુ ફાટી જાય, ત્યારે એ ચોંટેલા કાગળોને ઉઘાડવાની પણ કળા છે એવી કળાથી ઉઘાડવામાં આવે કે જેથી પાનાને જરાય હરકત ન આવે. પ્રાચીન કાળમાં ખર્ચે એ છો હતો, કામ સુંદર હતું અને કળા ખૂબ ખીલેલી હતી. સેનાની શાહી અને ચાંદીની શાહી દ્વારા પણ અનેક પ્રતે લખવામાં આવતી હતી. દિલ્હીના મુંગળીઆ કાગળો પણ વપરાતા હતા, જે ૬૦૦-૭૦૦ વર્ષ સુધી ટકતા હતા. જયપુરના કાગળ જાડા અને વજનદાર આવતા હતા તેને પણ ઉપયોગ થતા હતા. પણ તે ૩૦૦-૪૦૦ વર્ષ સુધી જ ટકતા હતા. અમદાવાદના કાગળ જેને વ્યાપારી લેકે વહીઓમાં ચોપડા વિગેરે લખવામાં ઉપગ કરતા હતા, પણ તે ૧૫૦૨૦૦ વર્ષ ટકે પણ તે વધારે ટકાઉ નહિ, જ્યારે અત્યારના
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy