SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ વ્યાખ્યાન બારમું પાળતા સંઘે કાઢી ધનને અઢળક વ્યય કર્યો હતો. શ્રી વિકમાદિત્ય, શ્રી કુમારપાળ અને સાધુ પેથડકુમાર મંત્રીશ્વરે પણ છરી પાળતા સંઘ કાઢી જિનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી. છરી પાળતે સંઘ કાઢવામાં અને લાભ સમાયેલો છે. પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓએ અને અનેક શ્રષ્ટિવ એ છરી પાળતા સંઘ કાઢી જગતમાં નામ રોશન કર્યું છે. આજે પણ કેક ભાગ્યશાળી છરી પાળતો સંઘ કાઢી લકમીને કહા લે છે અને પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બને છે, પણ આજના ધમાલીયા જીવનમાં છરી પાળતા સંઘ બહુ જુજ અને વલે જ નીકળે છે. છરી પાળીતે સંઘ છરી પાળતા સંઘને આજના રેલ્વે દ્વારા નીકળતા સંઘએ માટે ધક્કો પહોંચાડે છે. છરી પાળતા સઘને શાસ્ત્રકારોએ જે લાભ બતાવ્યું છે અને એમાં જે લાભ સમાયલે છે, તે કંઈ સ્પેશ્યલે દ્વારા નીકળતાં સંઘથી મળી શકતું નથી. છરી પાળતા સંઘ દ્વારા કેટલીકવાર સંઘપતિ ભાવના અને ઉલ્લાસના બળે તીર્થંકર ગાત્ર જેવી ઉત્તમ પ્રકૃતિની નિકાચના કરી લે છે. છ'રી પાળા સંઘ હોય એટલે ગુરુ મહારાજની પુણ્ય નિશ્રા હોય અને એ મહાપુરુષેની શુભનિશ્રામાં દરરોજ એમના પ્રવચન સાંભળવાનો જનતાને લાભ મળે, સુંદર પ્રેરણા મળે અને તીર્થયાત્રાની મહત્તા સમજાતાં આમા ડગલે ને પગલે પગપાળા યાત્રા કરતા કર્મની નિર્જ કરે એ વધારામાં.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy