SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન આઠમું ફળ આપે છે અને અંતે આત્માને અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. આ વિષય પર આરામશોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામશોભાની કથા આરામશોભાના વર્ણનમાં આરામશોભાને પિતા આરામ શેભાની ઓરમાન માતાએ આપેલા લાડવાના ચરુને રાજાની પાસે લઈ જાય છે અને રાજાને ભેટ ધરે છે. આરામશોભાની વિનંતિથી રાજા ચરનું ઢાંકણું ઉઘાડે છે. ઉઘાડતાની સાથે જ લાડવાની ખૂબ ખુશ ચોમેર પ્રસરી જાય છે. આ સુવાસે રાજા અને રાણીના દીલ આકર્ષ્યા વાંચકોને ખબર હશે કે- આરામશોભાની ઓરમાન માતાએ તે લાડવામાં ઝેર ભેળવ્યું છે, પરંતુ બનાવ એમ બન્યું કે આરામશોભાના પિતા લાડવાના ચરુને લઈને આ તરફ આવી રહ્યા હતા, તે વખતે રસ્તામાં એક ઝાડ નીચે તેમણે ડીવાર આરામ લીધું હતું અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. તે વખતે આરામશોભાને સહાયક નાગકુમાર જાતિને દેવ ત્યાં કીડા કરવા આવ્યા હતા, આ ચરુ અને બ્રાહ્મણને જોઈને અવધિજ્ઞાનથી એ દેવે ઉપગ મૂકી બધી હકીકત જાણી લીધી. ઓરમાન માતાની દુષ્ટ ભાવના, બ્રાહ્મણનું અજાણપણું આરામશેભાને મારી નાંખવા લાડવામાં નાંખેલું ઝેર આ
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy