SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હસે હસે હી આવતા હતા, અને આ પ્રવચનોથી ખૂબ જ પ્રભાવિત થતા હતા, માનવ-મહેરામણનું તો પૂછવું જ શું? ધર્મતત્વનું ઉંડુ જ્ઞાન, વક્તત્વની અપ્રતિમ છટા, વાણુને ઓજસપૂણું પ્રવાહ શાસ્ત્રીય અને વ્યવહારિક દષ્ટાંત તથા દાખલા દલીલથી સમૃદ્ધ એ આ પ્રન્થ મુમુક્ષ જીવો માટે બહુ જ ઉપકારી નિવડશે અને ધર્મથી અજાણ પરંતુ ભદ્ર પરિણામી જીવેને ધમકામાં જોડવા માટેનું અજોડ સાધન બનશે એ મારો દઢ વિશ્વાસ છે. જૈનધર્મનું સ્વરૂપ, ધર્મની વ્યાખ્યા તથા મહત્તા સમજાવનારા અનેક ગ્રન્થ લેવા છતાં શાસ્ત્રને અનુકૂળ રીતે સીધી સાદી સરલ પણ પ્રભાવપૂર્ણ રસઝરતી ભાષામાં તક તથા દાખલા દલીલથી સંપન્ન બનેલ આ ગ્રન્થ પિતાનું અનોખું સ્થાન સંપન્ન કરે છે, જડવાદથી જકડાયેલા અને વિષય વાસનાના ઝેરિલા વાતાવરણમાં ફસાઈને મૂહ બનેલા લોકો માટે આ ગ્રન્થ સંજીવની જે સિદ્ધ થશે, પરમ પૂજ્ય આચાર્ય દેવના વ્યાખ્યાનેનું સંપાદન તથા સંકલન કરનાર પૂ. આચાર્યદેવ શ્રી મદ્ વિજયકીર્તિચસૂરિજી મહારાજ સાચે જ ગૌરવ અને ધન્યવાદને પાત્ર છે, કારણકે તેઓશ્રીએ ગુરુભક્તિયુક્ત હૃદયે ધમરગમાં રંગાઈને પોતાના ગુરુના મુખમાંથી નીકળતા વચનપુપા વીણું વાણી તથા સુંદર રીતે ગુંથીને આ પુસ્તક રૂપે એવી સુગધી, સુંદર અને શાશ્વત માળા બનાવી છે કે જે પઢિયે સુધી સુગંધ તથા તાજગી આપતી રહેશે. પૂ૦ આચાર્યશ્રાનું સંકલન તથા સંપાદન એટલું સચોટ છે કે ગ્રન્થ વાંચવાની સાથે જ એમના ગુરુદેવની જ્ઞાની, ભવ્ય અને પ્રભાવપૂર્ણ
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy