SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનને સિદ્ધાંત કરતાં પ્રયોગ વધુ પ્રભાવિત કરે છે. ગીતા કેવળ સિદ્ધાંત ગ્રંથ નહીં, એ પ્રયોગ ગ્રંથ પણ છે. એમાં અનેક પ્રયોગો નિર્દિષ્ટ છે.” એમની દષ્ટિએ ગીતાનો ઐશ્વર્ય યોગ એટલે જ સાપેક્ષવાદ, કારણ ગીતામાં સ્થૂળ દૃષ્ટિનો વ્યવહાર નય અને સૂક્ષ્મદષ્ટિનો નિશ્ચય નય બને છે. વિસંવાદિતાના આ યુગમાં ગીતા એક મધ્યવર્તી સેતુ સમાન છે. એમની દૃષ્ટિએ ગીતાનું નવનીત છે – એનો અનાસક્તિ યોગ. જેનદર્શનની દૃષ્ટિએ અનાસક્ત રહેવું એટલે જ વીતરાગ બનવું. રાગદ્વેષરહિત વ્યક્તિને પાપકર્મનો બંધ નથી થતો. ગીતાના અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ પુરુષ એ જ જૈનદર્શનના વીતરાગ પુરુષ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ યુગપ્રધાન આચાર્યપ્રજ્ઞનું વ્યક્તિત્વ, કર્તુત્વ અને સાહિત્યસર્જન એટલું વિશાળ છે કે પંદર-વીસ પૃષ્ઠોના લેખમાં એને સમાવી ન શકાય. પણ સંક્ષેપમાં કહી શકાય કે વીસમી સદીના જૈન સાહિત્યકારોમાં એમનું એક આગવું – અદ્વિતીય સ્થાન છે. જૈન વિદ્વાનોએ એમના સાહિત્યની ગરિમા અને ગહનતા માટે એમને ડૉ. રાધાકૃષ્ણન’, ‘આચાર્ય સિદ્ધસેન અને વિવેકાનંદની સંજ્ઞા આપી હતી. વાસ્તવમાં તેઓ એક મૌલિક સાહિત્ય-સણ અને અન્વેષક હતા. એમનું ભગીરથ કાર્ય આગમ-સંપાદન, આચારાંગ-ભાષ્ય, સંબોધિ, જૈન ધર્મઃ દર્શન અને મીમાંસા, ચિત્ત અને મન પર પચાસથી વધુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા પુસ્તકોની શ્રેણી, પ્રેક્ષાધ્યાન, જૈનયોગ, જૈન અર્થશાસ્ત્ર, આદિ વિવિધ વિષયો પરના વિપુલ સાહિત્ય રૂપી શ્રુત-સાધનાથી તેઓએ જૈન સાહિત્યની અનન્ય અને અવિસ્મરણીય સેવા કરી હતી. परिशिष्ट श्री महाप्रज्ञ का साहित्य 9. નિ ના ઈં 99. સંતુના તુના. २. अजातशत्रु की जीवन गाथा १२. अध्यात्म का प्रथम सोपान : ३. अक्षर को प्रणाम सामायिक ४. अज्ञात द्वीप की खोज १३. अध्यात्म के रहस्य ५. अणुव्रत आन्दोलन और भावी की १४. अध्यात्म की वर्णमाला रेखाएं १५. अध्यात्म की पगडंडिया ६. अणुव्रत की दार्शनिक पृष्टभूमि १६. अध्यात्म विद्या ७. अणुव्रत दर्शन १७. अनुभव का उत्पल ८. अणुव्रत विशारद १८. अनुभव, चिंतन, मनन ९. अतीत का बसंत, वर्तमान की १९. अनुशासन के सूत्र सौरभ २०. अनुशासन संहिता १०. अतीत को पढो, भविष्य को देखो २१. अनेकान्त है तीसरा नेत्र ૨૨૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy