SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ m . સામાજિક સ્થિતિ વર્ણ વ્યવસ્થા ચૌલુકયકાલના અભિલેખામાંથી તત્કાલીન વધુ વ્યવસ્થાના ખ્યાલ આવે છે. આ સમયમાં પરંપરાગત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ઉપરાંત નાગર, કાયસ્થ અને અતિશુદ્રોના પણ પેટાસમુદાયો હતા. આ હિન્દુ સમુદાયો ઉપરાંત મુસલમાનો અને પારસીઓની વસ્તી પણ હોવાના પુરાવા મળે છે.૧ હિન્દુસમાજ મુખ્યત્વે અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા હતા. આ જ્ઞાતિ જન્મથી જ્ઞાતિના સિદ્ધાંત અનુસાર હતી. એમાં એટીવ્યવહાર ચુસ્તપણે જ્ઞાતિમાં જ થતો. રોટીવ્યવહાર પોતાની જ્ઞાતિમાં અને પોતાની સમાંતર જ્ઞાતિમાં અથવા તે પોતાનાથી ઉપલી વર્ણમાં થઈ શકતા. અલબત્ત, આ વ્યવહાર નિયંત્રિત હતા. અભિલેખાને આધારે પરપરાગત પ્રચલિત ચાર વર્ણા, જેવા કે બ્રાહ્મણા, વૈશ્યા, ક્ષત્રિય અને શૂદ્રો વગેરે જાણવા મળે છે, પરંતુ અભિલેખામાં બ્રાહ્મણાનો વિશેષ ઉલ્લેખ આવે છે. દાનશાસનામાં શૂદ્રોને ઉલ્લેખ જવલ્લેજ પ્રાપ્ત થાય છે. ચૌલુકયકાલીન દાનશાસનાને આધારે આ કાલના સમાજમાં એક મહત્ત્વના સામાજિક ફેરફાર થયા જણાય છે. આ ફેરફાર એ કે સમાજમાં નાતાના વાડા બંધાવા શરૂ થતા જણાય છે. ભીમદેવ ૧ લાએ વિ. સ. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)માં એક દાન ઉદીચ્ય બ્રાહ્મણાને આપ્યું હતું. મૂળરાજના સમયમાં ઉત્તરના બ્રાહ્મણા ગુજરાતમાં આવ્યા અને એએ સમાજમાં “ઉદીચ્ય’” તરીકે ઓળખાવા લાગ્યા. २ મેઢેરા નગરમાં વસેલા અથવા ત્યાંથી નીકળેલા બ્રાહ્મણ કે વણિકો માઢ બ્રાહ્મણ અને માઢ વાણિયા તરીકે જાણીતા થયા. મેાઢો ઉલ્લેખ વિ. સ. ૧૧૨૦ના દાનપત્રમાં થયેલા દૃષ્ટિગોચર થાય છે. આ કાલના અભિલેખો પૈકી મૂલરાજના સમયના વિ. સં. ૧૦૦૫ના (ઈ. સ. ૯૬૯)ના લેખમાં નાગરજ્ઞાતિનુ` સ ંપ્રથમવાર વષઁન મળે છે. ઉપર્યુક્ત માહિતીને આધારે કહી શકાય કે આ સમય દરમ્યાન જૂના ચાર વર્ણ જ્ઞાતિરૂપે અને
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy