SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~~ - ~~- ~ જન્મમરણની ભયંકરતા કે “તારા માબાપ ઘાતકી છે, હવે દવા પાવા આવે તો સત્યાગ્રહ કરજે ! દવા ન પી ! મોટું ના ઉપાડતે અને મેઢામાં બળાત્કારે વેલણ નાખે તે એને પકડી લેજે !” કહે, મહાનુભાવો ! આવા સલાહકારોને તે બાળકોના મિત્રો કહેશે કે બાળકના ઘેર શત્રુઓ કહેશે ? તમારે આવા મૂખ સલાહકારોની ગણના બાળકોના શત્રુઓમાં જ કરવી પડશે ! આવી રીતના મૂર્ખાઓ ધર્મને વિષે પણ નજરે પડે છે, જેમ બાળક આવા મૂર્નાસલાહકારોને જ અવલંબે તો રોગથી તે બાળકનો વિનાશ જ થાય. છે, તે જ પ્રમાણે ધર્મને વિષે પણ આવા જે મૂર્ખાઓ છે; તેમને અનુસરનારાઓની એવી જ દશા થાય છે! - સાધુની પાસે છેકરાને બે કલાક ભણવા બેસાડ્યો ઃ બાળકે ઉપવાસ કર્યો, પૌષધ કર્યો કે આવા નકલી ધૂતારાઓ તરત બૂમ મારી ઉઠે છે કેઃ “અરે ! બિચારાને ગેધી મૂક્યા, બિચારાને ભૂખે માર્યો” આવા આવા શબ્દો બેલીને આ મૂર્ખાઓ દવારૂપી ધર્મકિયાથી ટી. દયા ખાઈ મનુષ્યોને ઉપવાસાદિમાંથી રોકે છે, પણ દિલગીરીને વિષય છે કે તેઓ અધર્મ આત્માની ભયંકર રખડપટ્ટીને ખ્યાલ કરી શકતા. નથી. આવા સલાહકારો પોતે ડૂબે છે અને સાથે સાથે તેઓ બીજાને પણ ડૂબાડતા જાય છે. વિચારો ન કરનારા કરતાં વિચારો કરનારો સારો છે, જેને બિલકુલ ધર્મ સાથે લેવાદેવા જ નથી, તેના વિચાર સરખા પણ જેના મનમાં આવતા નથી, તેના કરતાં જેના અંતરમાં હું ધર્મ ક્યારે સાધીશ !” એવો વિચાર આવે છે તે પણ ઉત્તમ છે. તે જ પ્રમાણે દ્રવ્યથી થએલી ઘર્મ પ્રવૃત્તિ પણ સારી છે, કારણ કે તેથી ધાર્મિક ભાવની ઉત્પત્તિ થવા પામે છે. તમે અહીં એ પ્રશ્ન ઉઠાવશે કે શું ધર્મ બળાત્કારથી પણ થાય છે ખરો? તમારા પ્રશ્નને આપણે ધીરજપૂર્વક વિચાર કરીએ. આ પ્રશ્ન સમજવા માટે એક એક ઉદાહરણ લેઃ એક શ્રીમંત શેઠ છે. શેઠ ઘણે. વિદ્વાનું છે. વિદ્વાનું છે, તે જ તે ધર્મિષ્ઠ પણ છે. તેની ધર્મશ્રદ્ધા અતૂલ છે. ધર્મની પાછળ તે સહુ કાંઈ પણ ફગાવી દેવાને તૈયાર છે? આ શેઠને એક છોકરો છે: દેવતાને એલર્વી નાખીએ એટલે તેના જેમ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy