SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - - - આનંદ પ્રવચન દર્શન શકો; પણ “જ્યાં ધુમાડે છે ત્યાં અગ્નિ છે.” એ જેમ તમે બુદ્ધિથી માન્ય રાખો છો, તે જ પ્રમાણે “જન્મ અને કર્મ પરાત્પરાવલંબી છે માટે તે બંને અનાદિ છે. એમ પણ તમારે બુદ્ધિથી માન્ય રાખે જ છૂટકે છે ! અતુ! કાયા વિનાને પ્રાણુ નથી જન્મના મૂળમાં કમ છે. ત્યારે હવે વિચાર કરે કે એ કમ કયારે બંધાયાં હશે ? માનસિક, વાચિક કે કાયિક, સુંદર કે અસુંદર પ્રવૃત્તિ હોય છે, ત્યારે જ તે દ્વારા કર્મ બંધાય છે. કર્મ કયારે બંધાય છે? આ પ્રશ્નનો જવાબ એટલો જ હોઈ શકે કે જ્યારે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓ હોય ત્યારે જ કર્મબંધ થાય છે. આ તત્વજ્ઞાનને વિષય છે. તે સમજવો તમારે જરૂરી છે અને તે જે કે કઠિન વિષય છે તે પણ જો તમે સહજ લક્ષ્ય પહેચાડશો, તે આ સિદ્ધાંત સમજતાં તમને કઠિનતાને અનુભવ નહિ થાય ! મન ન હોય એવા કાયાવાળા જ હોય છે મન અને વચન ન હોય એવા પણ કાયાવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈ જી હોતા નથી. આથી એમ માનવું પડે છે કે મન અને વચન એ બે વસ્તુઓ કાયાને આધારે જ રહેલી છે, અને મન અને વચનને પાયે તો કાયા જ છે. મન અને વચનને વેગ રચાય તે પહેલાં કાયાયોગ આ રીતે માનવો જ પડે છે! કાયાના ગે કરીને વચન અને ભાષાના પુગેલે (વૈદિક તત્ત્વજ્ઞાનમાં પુગલોને માટે લગભગ અણુ શબ્દ વાપરે છે, પશ્ચિમના સાયન્સવાદીઓ વસ્તુઓના નાનામાં નાના અણુને ઈથર જેવા શબ્દથી કેટલેક પ્રસંગે સંબોધે છે; હાલમાં ઈથરથી પણ નાના અણુની શોધ થઈ છે. આ સર્વ શબ્દો કરતાં પુદગલ એ વધારે ભાવવાહી શબ્દ હેઈ તે પદાર્થની છેવટની અવિભાજ્ય સ્થિતિને કણ દર્શાવે છે) ગ્રહણ થાય છે. ભાષા અને વચનને ગ્રહણ કરવામાં કારણભૂત કાયા છે અને તેથી જ મન અને વચનના પેગ પહેલાં જનતત્ત્વદર્શીઓએ કાયાને રોગ પહેલે માન્ય છે. શાસ્ત્રકારોએ પર્યાપ્તિ દર્શાવતી વખતે પણ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy