SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ -~-~-vV\/\/ \/\/\ /\/\ / \/ \ \ VV V V V V V V VVV vv v v ---- આનંદ પ્રવચન દર્શન વાળા થાઓ. આવે જેને વિચાર હોય તે ધર્મના પ્રથમ પગથિયામાં ગણાય. બીજાનું હિત કરવું તે જ પિતાનું હિત ગણાય. જે નાતમાં સમજુ શેઠ હેય તે સમજે કે નાતની શેઠાઈએ મારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી તેને ઘર સેંપવું છે, ઘરની બેટીને પારકે ઘેર સૌપવી છે. જે આખી નાત સારી કરી હશે તો પોતાને ઘેર સારી વહુ આવવાની છે. આખી વાત સારી કરી હશે તે પોતાની દીકરી સુખી થવાની છે, એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત તેમાં સમાયેલું જ છે. બીજી ભાવનામાં ઘાટુ વિજ્ઞાન તથા બીજાએ દુઃખી ન થાવ. પણ દુઃખી થયા એનું શું? આ જગતના તમામ જી જન્મ, જરા, મરણ, આધિવ્યાધિ, અનિટ સંગ, ઇષ્ટવિયોગ વગેરેથી હેરાન થઈ રહેલા છે. આ જીના તમામ દુ:ખે નાશ કેમ થાય ? બીજાના દુ:ખને નાશ કરવાને વિચાર તે કરણું, બીજાના દુઃખને નાશ કરવાની, બુદ્ધિરૂપ કરુણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથિયામાં આવ્યો ગણાય. જગત પણ શત્રુને દુ:ખી દેખી કંપી જાય છે, પરંતુ એક મોટી ચીજ હજી ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ (મેઘ) કાળે ત્યારે જગત ઉજળું અને એ ઉજળે ત્યારે જગત કાળું. સામાન્યથી દુ:ખને અંગે દયાની લાગણું થાય છે પણ ઈર્ષ્યા એવી. ચીજ છે કે બીજાના દુઃખે પોતે સુખી થયે માને છે. ઇર્ષામાં અવળે ફિટો આવે છે. બીજા સુખમાં હોય ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજો હેરાન થાય ત્યાં પોતાને આનંદ થાય છે. | માટે ત્રીજી ભાવના જણાવે છે ત્રીજું પગથિયું ચઢ. બીજે જે કઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અંગે પિતાને સંતોષ થ જોઈએ. દુ:ખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાવ એ જરૂરી છે. ઈષ્યને દેશવટો દઈ, કથંચિત્ આ પગથિયું ચઢવું સહેલું છે, પણ ચોથું પગથિયું ચઢવું તે બહુ મુશ્કેલ જ છે. ચેથી વસ્તુ ઘણું મુશ્કેલ છે. જગતમાં પ્રયત્ન કરવામાં આવે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy