SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને પાયે દેખાય, પણ ત્રણ દિવસ પછી સુકાય અને પરિણામે નામનિશાન પણ ન રહે અને નવાં તે થાય જ નહિ. એટલે દેખાવમાં મૂળિયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂળ પર છે. તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા-રહેવા વગેરે વ્યાવહારિક કાર્યમાં કામ ન આવે, પણ તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાર્યું? ખાવાપીવા-ઓઢવાની ચીજો દેખે અને તેનું મૂળ ન દેખે તે શા કામનું ? માટે ધમ એ જ જીવનની જડ છે. જગતભરના દરેક વ્યવહારની ઊંડી જડ ધર્મ છે. માનવ જીવનમાં વિષયની મોંઘવારી વિચારકોએ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કેસે બનાવ્યા ? આપણને મનુષ્ય અને બીજાને હેર કેમ બનવાનું થયું ? આનું નામ પક્ષપાત ખરો કે નહિ ? કહેવું પડશે કે પક્ષપાત નહિ, પણ નસિબદારીને નતીજે છે. જે નસિબદારીના અંગે આપણે મનુષ્ય થયા અને જે વિના તે ઢોર થયા. મનુષ્યની કિંમત સમજતા હો તે ધર્મની કિંમત ગણવી જ પડશે. કેટલાક ધર્મના અર્થ પણ મનુષ્ય જીવનની કિંમત વિષયભોગથી ગણે છે, પણ વિષયભોગના સાધના રૂપ-મનુષ્ય જીવન ગણાવતા હો તે વિધાતાને શ્રાપ દેવું જોઈએ, કેમકે જે વિષેની ઈરછા મનુષ્ય જીવનથી કરે છે, તે વિષયેની મેંઘવારી જ આ મનુષ્યજીવનમાં છે અને તિર્યચપણમાં તે વિષયેની સેંઘવારી છે. જાનવરને કુદરતી ખોરાક લેવાને છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા ખેરાકે જીવન છે, સ્વાભાવિક ખેરાકે મનુષ્ય જીવી ન શકે, માટે વિધાતાને શ્રાપ દેવો પડે. રાજાને માટે બગીચે હોય, ત્યાં મનુષ્ય માટે જ ત્યાં જઈને સુગધ લેવાને પ્રતિબંધ છે, પણ ચકલાં ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ. રાજામહારાજાઓના મહેલમાં સારાં રૂપ કે સુંદર ગાયનેના શબ્દો સાંભળવા માટે મનુષ્યને પ્રતિબંધ છે, તિર્યંચને તે પ્રતિબંધ નહીં. તે તિર્યંચે રાણીઓનાં રૂપ જોઈ અને ગીત સાંભળી શકે. મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy