SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રવચન દશન. છવ દુર્ગતિમાં પડી રહ્યો છે તે શાથી માનવું? જીવ કર્મોના બંધનથી બંધાએલ છે. જે જીવ મિથ્યાત્વમાં જ માગેલ હોય, અવિરતિને વરેલો હેય, કષાયથી ધંધવાતે હોય, તે. દુર્ગતિ વિના બીજે કયાં જવાને? જે તેવા સદ્દગતિમાં જશે તે દુર્ગતિ કેના માટે? જેણે ધર્મ પ્રાપ્ત ન કર્યો તેને માટે દુર્ગતિ. નિશ્ચિત જ છે. ભારે વસ્તુ પડવા માંડી તેને અટકાવનાર ન મળે તે તે ઠેઠ જમીન ઉપર પડવાની જ: અફળાવાની જ : ટીચાવાની જ !. જમીન ઉપર આવવું, ગબડવું એ તો સ્વાભાવિક છે. વાતાવરણ જ એને નીચે લાવે છે. તેને રોકવામાં જ મહેનત પડે છે. આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયના વાતાવરણથી દબાયે છે; ભારે થયો છે. એને ધારણ કરનાર ન મળે તે દુર્ગતિમાં પડવાને જ! ભારે વસ્તુને નીચે ઉતરવામાં અને પડવામાં મહેનત નથી કે વિશેષ સમય લાગતું નથી. ઉપરથી પડે કે ધબ નીચે ! કર્મોથી ભારે બનેલા આ જીવને દુર્ગતિમાં જવું છે તે સ્પષ્ટ છે; તેમાં ઉપદેશ કે પ્રેરણાની કોઈ જરૂર નથી. સુને એને માટે ઉપદેશ કે પ્રેરણું હેય પણ નહિ. ઉપદેશની કે પ્રેરણાની જરૂર હોય. તે તે માત્ર ધર્મ કરવા માટે જ છે. જીવને ધર્મ કરાવવું હોય ત્યારે મૂંઝવણ થાય છે, શરીરને, વચનને, મનને, બધાને જોર પડે છે. અધર્મ કરવા તે બધા તૈયાર છે ! દુર્ગતિમાં જીવને લઈ જવા કર્મ તૈયાર જ છે. ધર્મના પ્રયત્નમાં જરા ઢીલા થયા કે બાર વાગ્યા જ છે ! ધર્મ એક અંશે પણ કરે હશે તે મહેનન પડવાની જ. મહેનત કર્યા વગર છોકરાં પણ ઊંચે ચઢી શકતાં નથી. ધર્મ માટે મહેનત નહિ કરે તે ઊંચે ચઢી શકાશે નહિ. ઉતરી તે રહ્યા છે જ. સીડી કે પ્રર્વત ચઢવામાં જે તે પડવાનું જ. પર્વતથી નીચે ઉતારવામાં તે. પાછળને પવનને સુસવટે પણ ગબડાવવા તૈયાર છે. અનાદિના દારૂડિયા કદાચ શંકા થશે કે જીવને સ્વભાવ જે ઊંચે જવાને તે નીચે જ ઉતરે છે કેમ ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy