SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ મમતા ૭૫ = ૧ . " ' 1 - 5 જે જાણે છે તે પિતાના ઘેર પ્રસંગ આવ્યું ત્યારે સેંકડો કેમ તાણે છે ? પિક કેમ મૂકે છે? નારી તથા કૂટનારીએ બીજાના ઘેર ઉપદેશ આપે છે કે “કેણ અમરપટો લખાવી લાવ્યું છે ? કર્મ પાસે કેનું ચાલે છે? જમ આગળ કેઈનું જોર નથી.” પણ એમ બેલનારીને ત્યાં એટલે પિતાને ત્યાં પ્રસંગ આવે છે ત્યારે છાજીયા લે છે અને રાજીયાં ગાય છે, તેનું શું કારણ? એ જ રીતે દુનિયાદારીથી રંગાયેલાઓ જાણીને આત્માને. એલામાં નાંખે છે. આવી અજબ દુનિયાદારી છે. અજબ દુનિયાની ગજબ ભરેલી માયાથી રાજન્ ! તારા આત્માને બચાવી લે! તારે તે એક કુંવર ગયા છે. પણ સગરચકવર્તીને સાઠ હજાર કુંવર-(પુત્રો) એકીસાથે મરણ પામ્યા હતા, ત્યાં છ ખંડના માલિકનું પણ શું ચાલ્યું ? - રાજન્ ! દુનિયા તરફ જોયે પત્તો લાગે તેમ નથી. કેઈને સહેજે વેરાગ્યનું મન થાય તે દુનિયા તે તરત તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહી દે છે. એવું કહેનારા પિતે વૈરાગ્યનું સ્વરૂપ તે સમજતા નથી, કલાઈને ચાંદી કહેનારા તે છેકરાઓ મળશે, પણ ચાંદીને કલાઈ કહેવાની ભૂલ કરનારે તે છોકરો ય મળવો મુશ્કેલ છે. જ્યારે ઉત્તમ એવા વૈરાગ્યને પણ “દુ:ખગર્ભિત” કહી હલકી કટિમાં મૂકી દે છે. હલકાને ઉત્તમ કહેવાની વાતે દૂર રહે ઉત્તમ પદાર્થને હલકે કહી દે છે! સંસારમાં કઈ ધનવગરને દીક્ષિત થાય એટલે તરત “દુઃખગર્ભિત વૈરાગ્ય”ની છાપ આપે! દુનિયામાં પાણીસેળ આની દિશા હોય કે તરત જૂઠ્ઠી છાપ ! જૂઠ્ઠી છાપ મારનારને સરકાર કે ગણે? તે સર્વજ્ઞનાં તમાં જૂફી છાપ લગાવનારની શી વલે ? દુઃખગર્ભિત વૈરાગ્ય કોનું નામ? ધણ મરી જાય ત્યારે તેને શોકને લીધે ઘરેણુ–ગાંઠો કે સારાં વસ્ત્રો પહેરવાને ત્યાગ થાય, શરીરની શોભા ન કરાય, એનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય !
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy