SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ - આનદ પ્રવચન દર્શન mir શ્રુતકેવળી તથા આચાર્યોએ અરૂપી પદાર્થોનું એ જ સ્વરૂપ કહ્યું છે કે છમ અરૂપી પદાર્થને દેખે નહિ. હવે ત્યાં મટ્ટક હું પોતે દેખું છું” એમ કહે તે અનંતા અરિહંતાદિની આશાતના થાય, વિરાધના થાય, બાહ્ય જડ પદાર્થોને માનવામાં શ્રી જિનેશ્વર દેવને વચમાં ન લાવે તે ચાલી શકશે, પણ ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થો માનવામાં શ્રી જિનેશ્વર દેને વચમાં ન લાવો તે ચાલી શકે નહિ. મેક્ષને મેળવી આપનાર સાઈનેમાં શ્રી જિનેશ્વરને માનવાની જરૂર છે. ધર્માસ્તિકાયાદિ અરૂપી અજીવ પદાર્થો શ્રી જિનેશ્વરદેવ વગર માની શકાય તેવા નથી. એ જ રીતે પાપપુણ્ય બંધાય છે. એમ સામાન્યતઃ તે બધા માને છે, પણ અઢાર પાપસ્થાનક દ્વારા પાપ થાય, ભૂત (પ્રાણી) પ્રત્યે અનુકંપાદિ દ્વારા પુણ્ય બંધાય, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચગે એ મારફત કર્મ જ બંધાય, એ તમામ માન્યતા શ્રી જિનેશ્વરદેવના વચનથી થાય છે. અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રથી મેક્ષ મળે છે એ પણ એમનાં વચનથી જ મનાય છે. જ્ઞાન છે તો આવરણ છે ! આવરણ છે તે તે દૂર કરવાના * ઉપાય છે !! સ્વરૂપના ભેદે જ્ઞાનના પાંચ પ્રકાર માનવામાં આવ્યા છે. જે નાન પાંચ પ્રકારનાં ન હતા તે પાંચ પ્રકારે પાનાવરણીય કર્મ પણ માનવાનાં હેત નહિ. જે જ્ઞાનને આત્માને સ્વભાવ માનીએ, અને તે નાન પાંચ પ્રકારે માનીએ તે તે જ જ્ઞાનને આવરણ કરનારૂં જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારે માનવું જોઈએ. ઇંદ્રિથી થતું મતિ, શબ્દદ્વારા થવાવાળું શ્રુત, રૂપી પદાર્થોને જણાવનારું અતીન્દ્રિય જ્ઞાન તે અવધિ જ્ઞાન, મનના પર્યાયને જણાવનારું મન:પર્યવજ્ઞાન અને રૂપીઅરૂપી સર્વે પદાર્થોને જણાવનાર કેવળજ્ઞાન છે, આ પાંચે જ્ઞાન આમાના સ્વભાવમય છે, આ રીતે પાંચ ભેદ ન પડત તે પાંચ પ્રકારનું જ્ઞાન તથા પાંચ આવરણ માનવાને વખત રહેત નહિ. સૂર્ય કે ચંદ્ર હોય જ નહિ તે તેને વાદળાં ઢાંકે છે એમ બલવાન વ્યવહાર કરાય જ નહિ, કેમકે વાદળાં કેને ઢાંકે? મતિજ્ઞાન,
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy