SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ કેમ છૂટે? ૪૩૩ છે, આંખ દોઢ ડાહી છે. તે બધી વસ્તુને જુએ, બાજોઠ, કમાડને જુએ છે પણ પોતે પિતાને ન જુએ. આખા જગતને આંખ જુએ. દૂરના ડુંગરાને જુએ પણ પાસેની કણીને ન જુએ. પિતાને ન જુએ, માત્ર પરને જુએ. એ આંખની કુટેવ છે. આત્માની પણ આ કુટેવ છે. જન્મથી માંડીને મરણ સુધી બીજી–ત્રીજી પંચાતમાં પડે છે. ખાવું પીવું, કુટુંબકબીલો વગેરેની પંચાતમાં પડે છે, પણ પોતે કોણ છે? એ જોવાને તે તૈયાર નથી. તે જોવાય શી રીતે ? આંખ આંખને જોઈ ન શકે, પણ સામે આરિએ ધરીએ તે આંખ આંખનું સ્વરૂપ જાણે. આત્મા જગતની પંચાતમાં પડે, એમાં આત્મા આત્માને જોઈ શકતું નથી. ઘેર બેઠા હોય તે સ્ત્રી–ઘરેણની વાત ચાલે, ગામમાં બેઠા હોય તે ગામની વાત ચાલે. આપણે આપણને ઓળખીએ એ વાત કોઈ જગ્યાએ ચાલતી નથી. આ જીવ જન્મે ત્યારથી માર્યો ત્યાં સુધી તેને આત્માને જેવા, જાણવાની ફુરસદ નથી. જીવ પુણ્ય બોલે છે કે પાપ લે છે એ માટે વિચાર નહી. આંખ આરિસાની સામે આવે ત્યારે આરિસે આંખનું સ્વરૂપ દેખાડે. તેમ આ આત્મા મહાપુરૂષની પાસે આવે, ત્યારે આત્માને જેવાને વખત આવે. આ જીવનની કોડે પૂર્વેની જિંદગી હોય, તે પણ ધન, કામિનીને જ તે જોયા કરે, પિતાને જોવાનો વખત આવે નહિ, પુરૂષના સમાગમમાં આવીએ, ત્યારે જોવાને વખત મળે. ધન માલિક નથી, સ્ત્રી માલિક નથી. બધાનો માલિક આત્મા છે; તેને વિચાર નથી. કાજીની કૂતરીની કિંમત છે, પણ કાજીની કિંમત નથી. કૂતરી મરી ગઈ ત્યારે ગામ આભડવા આવ્યું, કાજી મરી ગયો ત્યારે કેઈ આવ્યું નહીં. મારું શું એ વિચાર કેઈને આવ્યા નથી. કાજીની કૂતરીની કિંમત છે. સમજુ મનુષ્ય તે કાજીની કિંમત કરવાની. પૂરા મહાપુણ્યના સંજોગે મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે પામ્યા. જ્યારે આત્માને ન સુધારીએ તે કઈ જિંદગીમાં સુધારીશું. જાનવર ચરી. આવે, દૂધ આપે, અને તે જિંદગી પૂરી કરે, મરે ત્યાં ઢેડ ઘસડી જાય. એ જિંદગીમાં આત્માને વિચાર નથી. આપણે મનુષ્યપણામાં ૨૮ ની કતરન બધાને માલિ ત્તિરી મરી
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy